અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનાં મોતના મામલામાં સૂત્રોના હવાલાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસના ઉચ્ચપદસ્થ સૂત્રોના જણાવ્યાનુંસાર જે સુસાઈડ નોટને નકલી ગણાવવામાં આવી રહી છે. તેને મહંત નરેન્દ્ર ગિરીએ પોતે જ લખી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર મહંત નરેન્દ્ર ગિરી આત્મહત્યાનું મન બનાવી ચૂક્યા હતા અને તેણે 5-6 દિવસમાં ધીરે ધીરે સુસાઈડ નોટ લખી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર હવે ફક્ત ફોરેન્સિક રિપોર્ટની ઔપચારિક્તાની જ રાહ છે. રિપોર્ટ આવતા જ સ્પષ્ટ થઈ જશે કે મહંત નરેન્દ્ર ગિરીએ પોતે જ સુસાઈડ નોટ લખી હતી.
મહંત નરેન્દ્ર ગિરી મુશ્કેલીથી હસ્તાક્ષર કરી શકતા હતા
ઉલ્લેખનીય છે કે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરાયેલા સ્વામી આનંદ ગિરીની સાથે જ અખાડા સાથે જોડાયેલા અનેક સાધુ સંતોએ સુસાઈડ નોટ પર સવાલ ઉભા કરતા કહ્યું કે મહંત નરેન્દ્ર ગિરી મુશ્કેલીથી હસ્તાક્ષર કરી શકતા હતા. તેવામાં 7 પન્નાની સુસાઈડ નોટ તે કેવી રીતે લખી શકે છે. જો કે પોલીસ પોતાના સ્તરથી આ વાતથી સંતુષ્ટ નજરે પડી રહી છે કે સુસાઈડ નોટનું લખાણ મહંત નરેન્દ્ર ગિરીનું છે અને ફોરેન્સિક રિપોર્ટ આવતા જ આ વાતની ખરાઈ થઈ જશે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસી લગાવવાથી મોતની વાત
બુધવારે મહંત નરેન્દ્ર ગિરીના એસઆરએન હોસ્પિટલમાં 5 ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસી લગાવવાથી મોત થયાની ખરાઈ થઈ. તેમના ગળા પર વીનું નિશાન હતુ. જે ફાંસીની ખરાઈ કરે છે. જો કે તેમના વિસેરા સુરક્ષિત રખાયા છે. પોસ્ટમોર્ટમ બાદ મહંત નરેન્દ્ર ગિરીને સંત પરંપરા મુજબ શ્રી મઠ બાધંબરી ગદ્દીમાં ભૂ સમાધિ આપવામાં આવશે. આ પ્રસંગે દેશ ભરના સાધુ-સંત અને અનુયાયીઓ તેમના દર્શન માટે ઉમટશે.