અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન યોગ્ય નથી. વિપરીત ધર્મ સાથે જોડાયેલી એક અરજીને ફગાવતા કહ્યું કે અરજી કરનારાઓ સંબંધિત મેજિસ્ટ્રેટની સામે હાજર થઈ પોતાના નિવેદન દાખલ કરાવવાની છુટ આપી છે. અરજકર્તાએ પોતાના પરિવાર સામે તેના શાંતિપૂર્ણ લગ્નજીવનમાં દખલ ન દે તે માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી હતી. આ આદેશ ન્યાયમૂર્તિ એમસી ત્રિપાઠીએ પ્રિયાંશી ઉર્ફ સમરીન અને અન્યની અરજી પર કર્યો છે.
લગ્ન કરવાની અરજીને રાહત આપવાથી ઈન્કાર કર્યો હતો
આ અરજી પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી હતી
ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન યોગ્ય નથી
કોર્ટે કહ્યું કે એક અરજદાર મુસ્લિમ તો બીજો હિન્દુ છે. યુવતીએ 29 જૂન 2020ના રોજ હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો અને એક મહિના બાદ 31 જુલાઈએ લગ્ન કરી લીધા. કોર્ટે કહ્યું કે રેકોર્ડ તો સ્પષ્ટ છે કે લગ્ન માટે ધર્મ પરિવર્તન કર્યું છે. કોર્ટે નૂરજહા બેગમ કેસના ચૂકાદાનો રેફરન્સ આપ્યો જેમાં કોર્ટે કહ્યું કે લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી. આ કેસમાં હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા.
સવાલ હતો કે હિન્દુ યુવતી ધર્મ બદલીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી શકે છે અને આ લગ્ન કાયદેસર ગણાય છે. કુરાનની હદીસનો સંદ્ભ ટાંકતા કોર્ટે કહ્યું કે ઈસ્લામ વિશે જાણાવ્યા વગર અને આસ્થા તથા વિશ્વાસ વગર લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી. આ ઈસ્લામની વિરુદ્ધ છે. આ ચૂકાદાને ટાંકતા કોર્ટે મુસ્લિમથી હિન્દુ બનીને લગ્ન કરવાની અરજીને રાહત આપવાથી ઈન્કાર કર્યો હતો.