આંતર-ધાર્મિક યુગલોના લગ્ન માટે નોટિસનું ફરજીયાત પ્રદર્શન હવે વૈકલ્પિક હશે. અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે એક આદેશ આપતા કહ્યું કે, આ પ્રકારે લગ્ન માટે નોટિસ લગાવવી ફરજીયાત નહીં. કોર્ટના આ નિર્ણયથી અંતર-ધાર્મિક જોડાને રાહત મળશે.
યોગી સરકારનો મોટો ઝટકો લાગ્યો
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચનો મોટો ચુકાદો
આંતર-ધાર્મિક યુગલોના લગ્ન માટે નોટિસનું ફરજીયાત પ્રદર્શન હવે વૈકલ્પિક
'લવ જિહાદ'ના મામલા વચ્ચે લગ્નના રજિસ્ટ્રેશનને લઇને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે લગ્ન પહેલા નોટિસ આપવા અને તેના પર વાંધો માંગવાને ખોટું ગણ્યું છે. કોર્ટે આને સ્વતંત્રતા અને અંગતતાના મૌલિક અધિકારોનું હનન ગણાવ્યું. કોર્ટે વિશેષ લગ્ન અધિનિયમની કલમ 6 અને 7ને પણ ખોટી ગણાવી. કોર્ટે કહ્યું કે, કોઇની દખલ વિના પસંદગીનો જીવન સાથી પસંદ કરવાનો મૌલિક અધિકાર છે. કોર્ટે કહ્યું કે, જો કોઇ લગ્ન કરી રહેલા લોકો નથી ઇચ્છતા તો તેમની વિગતો જાહેર ન કરવામાં આવે.
કોર્ટે કહ્યું કે, આવા લોકો માટે સૂચના પ્રકાશિત કરી તેના પર લોકોનો વાંધો ન લેવામાં આવે. જોકે વિવાહ કરાવનારા અધિકારીની સામે આ વિકલ્પ રહેશે કે તેઓ બન્ને પક્ષોની ઓળખ, ઉંમર અને અન્ય તથ્યોને ચકાસી લે.
શું હતો મામલો?
કોર્ટે કહ્યું કે, આ પ્રકારનો નિર્ણય સદીઓ જુનો છે, જે યુવા પેઢી પર ક્રૂરતા અને અન્યાય કરવા જેવો છે. હાઈકોર્ટની લખનૌ બેંચના જજ વિવેક ચૌધરીએ આ નિર્ણય લીધો. સાફિયા સુલતાનની હેબીયસ કોર્પસ અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો છે.
સાફિયા સુલ્તાને હિન્દુ ધર્મ અપનાવી અભિષેક કુમાર પાંડે સાથે લગ્ન કર્યા છે. સફિયા સુલ્તાને પોતાના નામ બદલીને સિમરન કરી લીધા છે. હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ થયા બાદ 14 ડિસેમ્બરે ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. હાઈકોર્ટે લખનૌ બેન્ચે પોતાનો ચુકાદો સંભળાવેલી અરજી પ્રકાશિત કરી દીધી.