અલ્હાબાદ હાઈકોર્ટના સીનિયયર જસ્ટિસ સુધીર અગ્રવાલે નવો ઇતિહાસ રચ્યો છે. જસ્ટિસ અગ્રવાલ સૌથી વધુ કેસોમાં ચુકાદો આપનાર ભારતના નહીં પરંતુ એશિયાના પ્રથમ ન્યાયમૂર્તિ બન્યા છે. જસ્ટિસ અગ્રવાલ 31 ઓક્ટોબર સુધી એક લાખ 30 હજાર 418 કેસોનો ચુકાદો આપી ચૂક્યા છે. જસ્ટિસ અગ્રવાલ અયોધ્યા વિવાદ પર ચુકાદો આપનારી અલ્હાબાદ હાઈકોર્ટની બેન્ચમાં પણ સામેલ હતા.
જજ સુધીર અગ્રવાલે રચ્યો ઇતિહાસ
સૌથી વધુ કેસના ચુકાદા લાવનાર એશિયાના પ્રથમ ન્યાયાધિશ
અયોધ્યામાં રામજન્મ ભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર ચૂકાદો આપીને ચર્ચામાં આવ્યા હતા
આ પહેલા ગત વર્ષે જસ્ટિસ અગ્રવાલ એક લાખ 12 હજાર કેસો પર ચુકાદો આપનાર દેશના પ્રથમ જજ બન્યા હતા. જસ્ટિસ અગ્રવાલ પાંચ ઓક્ટોબર 2005એ અલ્હાબાદ હાઈકોર્ટના જજ બન્યા હતા. તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2020 સુધીનો છે.
10 ઓગસ્ટ 2007એ અલ્હાબાદ હાઈકોર્ટના સ્થાયી જજ પદના લીધા હતા શપથ, કાર્યકાળ 24 એપ્રિલ 1958એ યૂપીના શિકોહાબાદમાં જન્મેલ જજ અગ્રવાલ પોતાના કડક ચુકાદાઓને લઇને જાણીતા છે.
જસ્ટિસ અગ્રવાલ અયોધ્યામાં રામજન્મ ભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો આપીને ચર્ચામાં આવ્યા હતા. અયોધ્યા બાબરી મસ્જિદ વિવાદ સિવાય તેમણે શંકરાચાર્ય બદ્રિકાશ્રમ પીઠ વિવાદ, સરકારી શાળામાં વીઆઇપીના બાળકોને ભણાવવાના મામલાઓ જેવા કેટલાક મામલાઓમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.