મંગળવારે ઈલાહાબાદ હાઈકોર્ટને એક આરોપીની જામીન અરજીને મંજૂરી કરીને એક રસપ્રદ ચુકાદો આપ્યો હતો.
કોર્ટનો અનોખ મામલો
અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો
આરોપીને આપી આવી સજા
મંગળવારે ઈલાહાબાદ હાઈકોર્ટને એક આરોપીની જામીન અરજીને મંજૂરી કરીને એક રસપ્રદ ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપીને એક એવી સજા આપી હતી, જેનાથી તેને પણ ઘણુ શિખવા મળ્યું હતું. આરોપીને હવે સાર્વજનિક જગ્યા પર રાહદારીઓને ઠંડુ પાણી તથા શરબત પિવડાવાનું રહેશે. આ આદેશ જસ્ટિસ અજય ભાનોટેના નવાબ નામના શખ્સની જામીન અરજી પર સુનાવણી કરતા આપ્યો હતો.
સૌહાર્દ ખરાબ કરવાનો કેસ નોંધાયો
હકીકતમાં હાપુડ જિલ્લાના સિંભાવલી પોલીસ સ્ટેશનમાં 11 માર્ચના રોજ સૌહાર્દ બગડાવાનો મામલો નોંધાયો હતો. જિલ્લા કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. અરજીકર્તા જામીન માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
રાજકીય હરીફો વચ્ચે વિવાદ
જેમાં અરજીકર્તાએ તર્ક આપ્યો હતો કે, ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાજકીય હરીફો વચ્ચે વિવાદ થયો હતો. નારેબાજી બાજ લોકો ઝઘડ્યા અને થોડી વાર ઝઘડો થયા બાદ હિંસક અથડામણ થઈ અને આ ઘટનામાં તેની કોઈ ભૂમિકા નથી.
અઠવાડીયા સુધી ઠંડી પાણી અને શરબત પીવડાવવાનો આદેશ
તો વળી તેનું નામ પણ મુખ્ય આરોપી તરીકે સામે નથી આવ્યું જેના પર કોર્ટે અરજીકર્તાના તર્ક સાથે સહમત થઈને અરજીકર્તાને જામીન માટે હકદાર ગણ્યો હતો. કોર્ટે શરતો સાથએ અરજીકર્તાને જામીન આપ્યા હતા. સાથે જ સજા તરીકે હાપુડની કોઈ પણ જાહેર જગ્યા પર મુસાફરો અને રાહદારીઓને મે અને જૂનની ગરમીમાં અઠવાડીયા સુધી ઠંડુ પાણી અને શરબત પીવડાવાનું રહેશે.