બળાત્કાર મામલામાં ધરપકડ કરાયેલા પૂર્વ ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સ્વામી ચિન્મયાનંદને આજે સોમવારે જામીન આપવામાં આવ્યા છે. અલાહાબાદ હાઇકોર્ટે સોમવારે જામીન અરજી પર સુનાવણી કરતા ચિન્મયાનંદને જામીન આપવાનો નિર્ણય કર્યો. હાઇકોર્ટે 16 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદને આજે સોમવારે જામીન આપવામાં આવ્યા
બળાત્કાર મામલામાં આ પહેલા હાઇકોર્ટે 16 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો
બળાત્કાર મામલાની એસઆઇટી તપાસ ચાલી રહી છે
ભાજપના નેતા ચિન્મયાનંદ પર તેમની જ કોલેજ સ્વામી શુકદેવાનંદ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર બળાત્કારે કરવાનો આરોપ લગાવાયો હતો. ત્યારબાદ તેઓેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની એસઆઇટી તપાસ ચાલી રહી છે.
હાઇકોર્ટે અરજી ફગાવી
આ પહેલા ગત મહીને શાહજહાંપુરમાં એલએલએમની વિદ્યાર્થીનીની પર બળાત્કાર કરવાના આરોપમાં ઘણા મહીનાઓ સુધી જેલમાં બંધ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી સ્વામી ચિન્મયાનંદની અલાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મામલાની મોનિટરિંગ કરી રહેલી અલાહાબાદ હાઇકોર્ટની ડિવીઝન બેન્ચે સ્વામી ચિન્મયાનંદની એ અરજી ફગાવી દીધી હતી, જેમા તેઓએ ખુદને મોનિટરિંગ કેસમાં પક્ષકાર બનાવવાની અપીલ કરી હતી.
Allahabad High Court grants bail to Former Union Minister and BJP leader Swami Chinmayanand in the alleged rape case of a law student. pic.twitter.com/MiQTXrrs5L