ચૂંટણી ડ્યૂટીમાં કર્મચારીઓના મોત પર એક એક કરોડના વળતરનો નિર્દેશ
મારનારા કાર્મચારીઓને 35 લાખ રુપિયા આપી રહી છે
ચૂંટણી ડ્યૂટીમાં કર્મચારીઓના મોત પર એક એક કરોડના વળતરનો નિર્દેશ
અલ્હાબાદ હાઈકોર્ટે પંચાયત ચૂંટણી ડ્યૂટી દરમિયાન કોરોનાથી થયેલા મોતના મામલામાં રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા વળતરને ઓછુ ગણાવ્યુ છે. કોર્ટે રાજ્ય ચૂંટણી આયોગ અને સરકારને મૃતક કર્મચારીઓના પરિવારજનોને એક એક કરોડનું વળતર આપવાનો પુનવિચાર કરવાનો નિર્દેશ કર્યો છે. કોર્ટે ચૂંટણી આયોગને કહ્યું કે અધ્યાપકો, શિક્ષામિત્રોને જબરન ચૂંટણી ટાસ્ક પર લગાવવામાં આવ્યા જેના કારણે લોકોના મોત થયા છે. જ્યારે કે તેમને આપવામાં આવેલુ વળતર પણ ઓછુ છે.
મારનારા કાર્મચારીઓને 35 લાખ રુપિયા આપી રહી છે
યુપી સરકારે આ પહેલા હાઈકોર્ટને જણાવ્યુ હતુ કે તે મારનારા કાર્મચારીઓને 35 લાખ રુપિયા આપી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યુ કે આ રકમ બહું ઓછી છે આ ઓછામાં ઓછા 1 કરોડ હોવા જોઈએ. કોર્ટે સરકાર તથા આયોગને પૂર્વમાં જાહેર વળતરને પાછુ લેવા કહ્યુ છે.
તમામ જિલ્લાધિકારીઓને કમિટી ગઠનના સંબંધમાં નિર્દેશ જારી કરે
ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણને લઈને કાયમ જાહેરહિતની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે દરેક જિલ્લામાં 3 સભ્ય પેન્ડેમિક પબ્લિક ગ્રીવાંસ કમિટી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં જિલ્લાના જજથી સીજેએમ અથવા ન્યાયિક મેજિસ્ટ્રેટ, મેડિકલ કોલેજના પ્રધાનાચાર્ય દ્વારા નામિત કોઈ પ્રોફેસર, જયાં કોલેજ ન હોય ત્યાં લેબલ ફોરના જિલ્લા હોસ્પિટલના કોઈ અધિકારી અથવા એડીએમ રેંક અધિકારીની કમિટી બને. આને 48 કલાકમાં ગઠિત કરવાની નિર્દેશ આપ્યા છે. સાથે મુખ્ય સચિવને કહ્યુ છે કે તમામ જિલ્લાધિકારીઓને કમિટી ગઠનના સંબંધમાં નિર્દેશ જારી કરે.
...તેને કોરોનાથી થયેલુ મોત જ ગણવામાં આવે
તેમજ કોર્ટે રાજ્ય સરકાર તથા સરકારી, ખાનગી હોસ્પિટલોને નિર્દેશ આપ્યો છે કે જો કોવિડ દર્દીનું મોત થાય છે તો તેને કોરોનાથી થયેલુ મોત જ ગણવામાં આવે. જેમ કે શરદી, ખાંસીથી દાખલ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવે અને તેનું મોત થાય છે તો તેને કોરોનાથી મોત ગણવામાં આવે. શરત એટલી કે તેને કિડની, હાર્ટ કે અન્ય બિમારી ન હોય.
દર્દીના ભોજન માટે 100 રુપિયા નક્કી કરવા પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી
તેમજ કોરોનાના દર્દીના ભોજન માટે 100 રુપિયા નક્કી કરવા પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યુ છે કે આટલામાં દર્દીને પોસ્ટિક ખોરાક ન આપી શકાય. કોર્ટે સરકાર પાસે માંગવામાં આવેલી માહિતી ન મળતા ફટકાર લગાવી છે. કોર્ટે હોસ્પિટલમાં ઓક્સિજન ઉત્પાદનનુ વિવરણ, 19 એપ્રિલથી 2 મે સુધીના મોતના આંક માંગ્યા હતા.