આધાર લિંકિંગના મામલે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. બેંક એકાઉન્ટ્સ મોબાઇલ નંબર અને અન્ય સરકારી યોજનાઓ સાથે આધાર લિંક કરાવવા માટે 31 માર્ચની સમયસીમાને સુપ્રીમ કોર્ટનો આ મામલે નિર્ણય આવે ત્યાં સુધી વધારવામાં આવી છે. જોકે કોર્ટે આ સાથે સરકારની તે દલીલને સ્વીકારી છે જેના હેઠળ અમુક મામલાઓમાં આદેશની અસર નહીં થાય એટલે કે સરકારની સબ્સિડીવાળી યોજનાઓ માટે આધાર જરૂરી રહેશે.
આ યોજનાઓમાં મળી છૂટ:
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બેંક એકાઉન્ટ મોબાઇલ ફોન પાસપોર્ટ બનાવવા પર પેન્શન અને ઇન્શ્યોરન્સ જેવી સેવાઓ માટે હાલમાં આધાર અર્નિવાય નથી એટલે કે આધાર લિંક કરાવવાથી છૂટ મળી છે. સરકારી સબ્સિડીની યોજનાઓને બાકાત રાખીને તમામ સેવાઓ માટે હાલમાં આધાર લિકિંગથી છૂટ મળી ગઇ છે.
ક્યાં સુધી મળી છૂટ:
ઉપર બતાવવામાં આવેલી સેવાઓ માટે આધાર લિંકિગના છૂટનો મતલબ એમ નથી કે કે હવે આ સેવાઓને આધાર સાથે લિંક ન કરાવવામાં આવે. વાસ્તવમાં કોર્ટે આધાર લિંકિંગની નક્કી કરેલી સમયસીમા 31 માર્ચ 2018ના મામલામાં નિર્ણય આવવા સુધી વધારવામાં આવી છે. આધાર લિંકિગની સમયસીમા આ મામલામાં નિર્ણય આવે ત્યાં સુધી લંબાવવામાં આવી છે.
સબ્સિડીવાળી યોજનાઓ માટે હજુ પણ આધાર જરૂરી:
સરકારની તરફથી સબ્સિડીનો લાભાર્થીઓ માટે આધાર હજુ પણ જરૂરી છે એટલે કે સબ્સિડી યોજનાઓ માટે આધાર નંબર આપવાનો રહેશે. એટર્ની જનરલે કોર્ટમાં દલીલ કરી કે તત્કાલ પાસપોર્ટની સાથે જનકલ્યાણકારી યોજનાઓને આધાર સાથે લિકિંગની અનિવાર્યતાને યથાવત રાખવું જોઈએ તેનો કોર્ટે સ્વીકાર કર્યો છે.
તાત્કાલિક પાસપોર્ટની માટે આધાર જરૂરી:
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સમામાન્ય પક્રિયા હેઠળ પાસપોર્ટ બનાવવા માટે હવે આધાર જરૂરી નથી જોકે તત્કાલિક પાસપોર્ટ બનાવવા માટે આધાર નંબર આપવો જરૂરી છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી અને તમે તત્કાલિક પાસપોર્ટ બનાવવા ઇચ્છો છો તો તમારે પ્રૂફ આપવું પડશે કે તમે આધાર નંબર માટે અરજી કરી છે.
નવા બેંક અકાઉન્ટ માટે આધાર જોઈએ:
કોર્ટે સાથે વ્યવસ્થા આપી કે નવા બેંક અકાઉન્ટ માટે આધાર નંબર જોઈશે તો બેંક ખાતું ખોલાવવા માગતી વ્યક્તિ પાસે આધાર કાર્ડ ન હોય તો તે આધારની અરજીને પણ રજૂ કરી શકે છે. એટલે કે નવા બેંક અકાઉન્ટ કે આધાર કે આધારની અરજી સાથે જોડાયેલા રજિસ્ટ્રેશન નંબરથી ખુલશે.