‘ન ઈશ્વર છું, ન યમરાજ. હું માત્ર વકીલ છું, જે મારો ક્લાઈન્ટ કહેશે, તેને સંવિધાન મુજબ કાયદાના તમામ વિકલ્પ ઉપલબ્ધ કરાવું છું.’ આ વાત એપી સિંહે નિર્ભયાના ગુનેગારોનું ત્રીજીવાર ડેથ વોરંટ ઈસ્યુ કરતા સમયે કહી હતી. ત્યારે છેલ્લાં 7 વર્ષથી નિર્ભયાને બચાવી રહેલા આ વ્યક્તિ ગુનેગારોના વકીલ એ.પી. સિંહ છે. જાણો, આ વ્યક્તિ કોણ છે.
માતાના કહેવાથી કેસ લડી રહ્યાં છે આ વકીલ
વેલેન્ટાઈન ડે પ્રતિબંધિત કરવાથી રેપ અટકશે જેવા નિવેદન આપ્યા હતા
લૉ ગ્રેજ્યુએટ એ પી સિંહની પાસે ડૉક્ટરેટની ડિગ્રી છે
લખનોઉથી અભ્યાસ કર્યો
લખનોઉ યૂનિ.માંથી લૉ ગ્રેજ્યુએટ એપી સિંહની પાસે ડૉક્ટરેટની ડિગ્રી છે. 1997માં વકીલ તરીકે તેમણે સુપ્રીમ કોર્ટમાં વકાલત શરું કરી હતી. સૌથી પહેલા તેમણે સાકેત કોર્ટમાં ગુનેગારો તરફથી હાજર થયા હતા. ત્યારથી તે પોતાના ક્લાઈન્ટને બચાવવા માટે કાયદાકીય દાવપેચ અપનાવી રહ્યાં છે. એપી સિંહે મીડિયાને કહ્યું હતું કે તેમની માતાના કહેવાથી તેમણે આ કેસ લીધો હતો.
માતાના કહેવાથી કેસ લડી રહ્યાં છે આ વકીલ
તેમણે જણાવ્યું હતું કે ચારેય ગુનેગારોમાંથી એક અક્ષય ઠાકુરની પત્ની પતિને મળવા માટે બિહારથી તિહાર જેલ પહોંચી હતી. આ દરમિયાન તેને કોઈએ મારો મોબાઈલ નંબર આપ્યો હતો. તે મારા ઘરે આવી અને મારી મમ્મીને મળી હતી. એપી સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ‘મે મારી મમ્મીને કહ્યું કે આ કેસ લડવાનું શું પરિણામ આવી શકે છે, પરંતુ મારી માતાએ એક પત્નીને ન્યાય અપાવવા માટે આ કેસ લડવા મને મનાવ્યો હતો.
... મારી દીકરી હોત તો આગ લગાવી દેતો
આ એજ એપી સિંહ છે જેણે નિર્ભયાના રાતે એક પુરુષ મિત્ર સાથે ફરવાને લઈને સવાલ ઉભા કરી દીધા હતા અને કહ્યું હતું કે આ તેમના સમાજમાં થતુ હશે આપણા સમાજમાં નથી થતું. તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે ‘મારી દીકરી કે બહેન લગ્ન પહેલા આવા સંબંધોમાં હોત તો ફામ હાઉસમાં લઈ જઈને પુરા પરિવારની સામે તેને પેટ્રોલ છાંટીને આગ લગાવી દેતો.’ તેમના આ નિવેદન પર તેમને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. એપી સિંહની આ વાત વિદેશની એક ન્યૂઝ ચેનલની ડૉક્યુમેન્ટ્રીમાં કહી હતી જે ભારતમાં પ્રતિબંધિત થઈ ગઈ છે. એ બાદ બાર કાઉન્સેલિંગ ઓફ ઈન્ડિયાએ નિવેદનનું કારણ જણાવવા નોટિસ ફટકારી હતી.
જજ પર પણ સવાલ ઉઠાવ્યાં હતા
13 સપ્ટેમ્બર 2013ના રોજ સત્ર ન્યાયાધીશ પર સવાલ ઉભા કરી દીધા હતા. જ્યારે તેમણે ગુનેગારોને ફાંસીની સજા સંભળાવી હતી. એપી સિંહે કહ્યું હતું કે, ‘તમે સત્યને નહીં જૂઠાણાને જીતાડ્યું છે. આ નિર્ણય રાજકારણીય દબાણમાં કરવામાં આવ્યો છે અને વોટ બેંક પોલિટિક્સના કારણે લેવામાં આવ્યો છે. જજ પર ઉશ્કેરાવાના કારણે બાર કાઉન્સેલિંગે તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ કોર્ટની અવમાનના છે.
વેલેન્ટાઈન ડે પ્રતિબંધિત કરવાથી રેપ અટકશે
ડૉક્યૂમેન્ટ્રીમાં આપવામાં આવેલા નિવેદન પર બાર કાઉન્સેલિંગની નોટિસનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં પણ તેઓ તેમની જીબને કાબૂમાં રાખી શક્યા નહોતા. વર્ષ 2015માં એપી સિંહ વિવાદોમાં ઘેરાયા હતા. જ્યારે તેમણે ‘વેલેન્ટાઈન ડે’ અને ‘કિસ ઓફ લવ કેમ્પેઈન’ને પ્રતિબંધીત કરવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આના પર પ્રતિબંધ લગાવવાથી બળાત્કાર અટકી જશે. ’