કેન્દ્ર સરકારનું ભરતી મિશન શરુ થયું છે. મંગળવારે સરકારે અગ્નિપથ અને 10 લાખ નવી નોકરીઓની જાહેરાત કરીને યુવાનોમાં આશાનો સંચાર કર્યો છે જે પછી હવે શિક્ષણ ક્ષેત્રે પણ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
All vacant teaching and non-teaching posts in higher education institutions, Kendriya Vidyalayas and Jawahar Navodaya Vidyalayas will be filled at the earliest: Union Education Minister Dharmendra Pradhan
1.5 વર્ષમાં સંબંધિત વિભાગોમાં તમામ જગ્યાઓ ભરી દેવાશે
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આગામી 1.5 વર્ષમાં સંબંધિત વિભાગોમાં તમામ જગ્યાઓ ભરવા માટે બે મંત્રાલયો કામ કરશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી જગ્યાઓ ભરી દેવાશે.
ભરતી મિશન યુવાનો માટે ખૂબ જ ઉત્સાહ અને આશાવાદ લાવશે
કેન્દ્રીય મંત્રી પ્રધાને ભરતી યોજના પર જણાવ્યું હતું કે, એક નોંધપાત્ર જન-કેન્દ્રિત નિર્ણય જે રોજગારના દૃશ્યને વધુ મજબૂત બનાવશે અને ભારતના યુવાનો માટે ખૂબ જ ઉત્સાહ અને આશાવાદ લાવશે.
મોદી સરકાર 10 લાખ લોકોની કરશે ભરતી
મોદી સરકારે 10 લાખ લોકોની ભરતી કરવાની પણ જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં તેના પર કામ કરવાનો આદેશ આપ્યો છે. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે.
અગ્નિપથ યોજનાની પણ જાહેરાત
સરકારે અગ્નિપથ યોજનાની પણ જાહેરાત કરી છે જે હેઠળ 4 વર્ષ માટે સેનામાં યુવાનોની ભરતી થશે અને તેમને 30 થી 40 હજારના પગારની નોકરી મળશે.