BCCIનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યુ કે અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પિન્ક બોલ ટેસ્ટ રમાનાર છે જેની બધી ટીકિટ્સ વેચાઈ ગઈ છે, મોટેરા સ્ટેડિયમ દર્શકોનાં હિસાબથી સૌથી મોટુ સ્ટેડિયમ છે.
પિન્ક બોલ ટેસ્ટ માટે બધી ટિકિટો વેચાઈ ગઈ
મોટેરા સ્ટેડિયમ બન્યા બાદ પહેલી વાર ઈન્ટરનેશનલ મેચ રમાશે
4 મેચની સિરીઝમાં ભારતે 1-1થી બરાબરી કરી છે
ક્રિકેટ રસિયાઓમાં પડાપડી
ભારતે 4 મેની સિરીઝમાં બીજી ટેસ્ટમાં જીત હાંસલ કરીને ઈંગ્લેન્ડ સાથે 1-1થી બરાબરી કરી લીધી છે. હવે સિરીઝની ત્રીજી મેચ વધારે રસપ્રદ થવા જઈ રહી છે ત્યારે તે મેચ પિન્ક બોલ ટેસ્ટ રમાનારી છે જેથી તેમાં ક્રિકેટ રસિયાઓને વધારે રસ પડી રહ્યો છે. તે ઉપરાંત ભારત-ઈંગ્લેન્ડની આગામી બે મેચો વિશ્વનાં સૌથી મોટા મેદાન મોટેરા સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે જેને જોવા માટે પણ ક્રિકેટ રસિયાઓમાં પડાપડી જોવા મળી રહી છે. અમદાવાદમાં 7 વર્ષ બાદ ઈન્ટરનેશનલ મેચ
મોટેરામાં રમાનાર આગામી બે ટેસ્ટ મેચ માટે ક્રિકેટ રસિકોમાં જોવા મળતા જુસ્સાને જોતા બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યુ કે, અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પિન્ક બોલ ટેસ્ટ માટે બધી ટિકિટો વેચાઈ ગઈ છે. હવે પરિસ્થિતિ સામાન્ય બનતી જોવા મળી રહી છે જેને જોઈને સારુ લાગી રહ્યુ છે. અમદાવાદમાં 7 વર્ષ બાદ કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે. જેથી સ્ટેડિયમ બન્યા બાદ ક્રિકેટની અમદાવાદમાં વાપસી થઈ રહી છે.
50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ
ઉલ્લેખનીય છે કે અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમની દર્શક ક્ષમતા 1લાખ 10 હજાર છે અને હાલની પરિસ્થિતિને જોતા બીસીસીઆઈએ સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને પ્રવેશ આપવાની અનુમતિ આપી દીધી છે. જેથી આગામી ટેસ્ટ મેચો માથી પિન્ક બોલ ટેસ્ટ માટે બધી ટીકિટો વેચાઈ ગઈ છે ત્યારે સ્ટેડિયમમાં 50 હજાર દર્શકો આવશે તેવી પૂરે પૂરી શક્યતા છે.
આઈપીએલમાં દર્શકોની એન્ટ્રી માટે જલ્દી નિર્ણય લેવાશે
સૌરવ ગાંગુલીએ વધુમાં કહ્યુ કે, આઈપીએલ 2021ની મેચોમાં પણ મેદાનમાં દર્શકોને પ્રવેશ આપવો કે નહીં તેના પર પણ જલ્દી વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લીધે ગત વર્ષે આઈપીએલ 2020ની બધી મેચો યુએઈમાં દર્શકો વગર યોજવામાં આવી હતી.