અમદાવાદના એક વિસ્તારમાં રહેતી સોળ વર્ષીય સગીરાને પ્રેમના પદાર્થ પાઠ શીખવતા એક 21 વર્ષીય યુવકે તેની લાજ-શરમ રીતસર લૂંટી લઈને ગર્ભવતી બનાવી દીધી.સગીરાનું પર્સનલ કાઉન્સેલિંગ કરતા આખી'ય સનસનીખેજ ઘટના બહાર આવતા પરિવારજનો પર વીજળી ત્રાટકી છે. મહિલા હેલ્પ લાઈન 181 દ્વારા પિડિત સગીરાનું સઘન કાઉન્સેલિંગ કરવામાં આવતા ,સમગ્ર ઘટનાનો સીલસીલાબંધ ઘટસ્ફોટ થયો હતો.
સનસનીખેજ ઘટના
ગુજરાતમાં શાળાએ જતા યુવક-યુવતીઓનાં માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવક-યુવતીઓ કોની સાથે ,કેવી સંગત રાખે છે અને મિત્રતામાં આંધળો વિશ્વાસ રાખ્યા બાદ પ્રેમના નામે કેવી જાળ રચાય છે.બાદમાં કેવી નાજુક પરિસ્થિતિનું નિર્માણ થાય છે.તેવી આ ઘટના ચોંકાવનારી છે.આ સમગ્ર ઘટના પોલીસ મથકે પહોચી છે અને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
યુવકે બિછાવી પ્રેમજાળ
અમદાવાદના હાથીજણ વિસ્તારની એક સગીરા પોતાની બાજુમાં રહેતા એક યુવકના પરિચયમાં આવી.શરૂઆતમાં તો આંખની ઓળખાણ અને ત્યાર બાદ પરિચય વધતા યુવકે સગીરાને જાળમાં ફસાવવાનું શરુ કર્યું.નાની-નાની ભેટ-સૌગાદ અને મીઠી વાતોમાં પીડિત સગીરાને લપસાવવાનું શરુ કર્યું. એક તબક્કે તો 21 વર્ષીય યુવકે,'ચાંદ કે પાર ચલો' જેવા સપના બતાવવા શરુ કર્યા. સગીરાને પણ મિત્રનો સહવાસ અને વાતોમાં રસ પડવા માંડ્યો. ફોસલાવીને આચર્યું દુષ્કર્મ
છેલ્લા કેટલાક સમયથી પુત્રીમાં દેખાતું પરિવર્તન માતા-પિતા માટે ચિંતાનો વિષય બની ગયો.સગીરાના માતા-પિતાએ તપાસ કરતા ખબર પડી કે ચિરાગ નામનો એક યુવક સગીરા સાથે ઘનિષ્ઠતા કેવી ચુક્યો છે.પરિણામે,માતા-પિતાએ યુવકને ધમકાવ્યો અને પોતાની પુત્રીને પરેશાન ના કરવા પણ જણાવ્યું. પુત્રીના ભવિષ્ય અને પરિવારની આબરૂ માટે થઈને માતા-પિતા અલગ વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા. પોતાના જન્મદિવસે સગીરા તેમના દાદી સાથે હાથીજણ ગઈ હતી ત્યારે,ચિરાગે ફરીવાર ફોસલાવીને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
મામલો પોલીસમથકમાં
આખી ઘટનામાં યુવકે,સગીરાને પ્રેમમાં આવું બધું જ કરવાનું હોય તેમ કહી,કહીને બેથી ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી માતા-પિતા સામે આવતા,સમગ્ર ઘટના પોલીસ મથકે પહોચી છે. અને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.