રિલાયન્સ જિયોની ટેલિકૉમ સેક્ટરમાં એન્ટ્રી પછી અન્ય ટેલિકૉમ કંપનીઓને પોતાના યૂઝર્સને બચાવી રાખવાનું મુશ્કેલ બન્યુ છે. આજ કારણ છે કે રિલાયન્સ જિયો એક પછી એક સસ્તી ઑફર પોતાના યૂઝર્સને આપી રહી છે. જિયોને ટક્કર આપવા માટે આઇડિયા વોડાફોન એરટેલ જેવી દિગ્ગજ કંપનીઓ પોતાના ગ્રાહકોને સસ્તી ઑફર આપી રહી છે. પરંતુ આ ઑફરનો કારણે કંપનીની કમાણી ઘટી રહી છે. જોકે હવે કંપનીઓએ આ માટે નવો રસ્તો અપનાવ્યો છે. જી હા જો તમારી પાસે આઇડિયા વોડાફોન અને એરટેલમાંથી કોઇ પણ કંપનીનું કાર્ડ છે અને તમને તેમા રિચાર્જ નથી કરાવતા તો કરાવી લો નહીં તો તમારું સિમ બંધ થઇ શકે છે. Outgoing જ નહીં પરંતુ Incoming પણ બંધ થઇ શકે છે. ત્રણેય કંપનીઓએ આ નિયમને ઓક્ટોબરથી લાગૂ કરી દીધો છે. હવે જે ગ્રાહકોના નંબર પર 45 દિવસો સુધી કોઇ રિચાર્જ નહીં હોય તો તેમનું સિમ બંધ (ડીએક્ટિવેટ) કરી દેવામાં આવશે.
આ છે નવો નિયમ:
દરેક ટેલિકૉમ કંપનીઓએ યૂઝર્સથી કમાણી ચાલુ રાખવા માટે દર મહિને ઓછામાં ઓછું 35 રૂપિયાનું રિચાર્જ કરાવવું રહેશે. એરટેલ પ્રવક્તા પુનીતા ગુપ્તાએ જણાવ્યું કે દરેક ગ્રાહકને ઓછામાં ઓછું 35 રૂપિયાનું રિચાર્જ કરાવવું જરૂરી છે. જેમા ગ્રાહકોને 20 દિવસની વેલિડિટી અને 26 રૂપિયાનું ટોકટાઇમ મળશે. 100mb ડેટા પણ મળશે. જે ગ્રાહક આ રિચાર્જ નહીં કરાવે તો તેમનું સિમ 45 દિવસ બાદ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. એટલે તે નંબર પર તમારું Outgoing અને Incoming બંધ થઇ જશે. વોડાફોનના મુંબઇ સર્કલના કસ્ટમર કેર વિજય પંવારે પણ આ ન્યૂઝને કંફર્મ કરતા જણાવ્યું કે કંપની તરફથી ઓછામાં ઓછું 35 રૂપિયાનું રિચાર્જ કરાવવું અનિવાર્ય છે.
આ યૂઝર્સ પર પડશે અસર:
મોટી સંખ્યામાં યૂઝર્સ એવા છે કે જે એક સાથે 2 કંપનીઓને સિમ રાખે છે. એવામાં એક સિમમાં ના તો બેલેન્સ હોય છે ના તો વેલિડિટી. જોકે આ સિમ પર Incoming કૉલની સુવિધા હોય છે. આજ કારણથી યૂઝર્સ આ સિમમાં રિચાર્જ નથી કરાવતા હવે આ યૂઝર્સ પાસેથી કમાણી કરાવવા માટે ટેલિકૉમ કંપનીઓએ આ નવો નિયમ લાગૂ કરી દીધો છે. એવામાં હવે ગ્રાહકો જો અન્ય નંબર ચાલુ રાખવા માંગે છે તો તેમને 35 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે નહીં તો તેઓ જિયોમાં શિફ્ટ થઇ શકે છે.