ખેડૂતોની ટ્રેકટર રેલીને ધ્યાનમાં લઇને ઉત્તર પ્રદેશ પોલીસે મંગળવારે દિલ્હી જવાના બધા રસ્તા બંધ કરી દીધા છે અને અપીલ કરી છે કે પ્રતિબંધિત રસ્તાઓનો બિલકુલ ઉપયોગ ન કરે.
દિલ્લીમાં આંદોલનકારી ખેડૂતોની આજે ટ્રેક્ટર રેલી
ખેડૂતોની ટ્રેક્ટર રેલીને દિલ્લી પોલીસની મંજૂરી
ઇમર્જન્સી માટે લોકો માત્રે બે જ રસ્તાઓનો પ્રયોગ કરી દિલ્હી જઇ શકે છે. ઉત્તર પ્રદેશ પોલીસે ટ્રેકટર પરેડ અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી એડવાઇઝરી જાહેર કરી છે.
ગાઝિયાબાદના SP ટ્રાફિક રામાનંદ કુશવાહાએ કહ્યું કે યુપી ગેટથી નીકળીને ટ્રેકટર પરેડના કારણે ગાઝિયાબાદથી દિલ્હી જનારા બધા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. આ બધા રસ્તાઓ પર વાહન નહીં ચાલે, જે રસ્તાઓથિ થઇને ટ્રેકટર રેલી નિકળશે. દિલ્હી જવા મુખ્ય યૂપી ગેટને ખેડૂતોએ પહેલા થી જ બંધ કરી દીધો છે.
જરૂરરિયા હોય તો માત્રે બે રસ્તાઓથી જઇ શકશો દિલ્હી
દિલ્હી જવા માટે બે રસ્તાઓ સતત ખુલ્લા રાખવામાં આવશે. જેમાં પહેલો રસ્તો ભોપુરા બોર્ડરના કરાવલનગર, યમુના વિહાર, હર્ષ વિહાર થઇને જઇ શકાશે. ગાઝિયાબાદ અને ટ્રાંસ હિંડનના લોકો આ રસ્તાથી જવા પર18 કિમી લાંબો ચક્કર લગાવો પડશે. જ્યારે બીજી તરફ નોઇડા સેક્ટર 62ના રસ્તે થઇને ડીએનડી થઇને દિલ્હી જવા માટે ખુલ્લો રહેશે. આ રસ્તાઓ પર જવા લોકોએ અંદાજે 14 થી 15 કિમી વધારાનો ચક્કર લગાવો પડશે. લોકોને જો ઇમર્જન્સી હોય તો જ બે રસ્તાઓનો પ્રયોગ કરી દિલ્હી પહોંચી શકશો.
આ રસ્તાઓ પર જવાથી બચજો
ગાઝિયાબાદ જિલ્લામાં ટ્રેકટર પરેડ યૂપી ગેટ, એનએચ-24, અપ્સરા બોર્ડર, મહોનનગર, હિંડન પુલ, મેરઠ રોડ, આઇએમએ કોલેજ, દુલાઇ, ઇર્સ્ટર્ન પેરીફેરલ, ડાસના, લાલકુઆથી થઇને પસાર થશે. 26 જાન્યુઆરીના રોજ આ રસ્તાઓ ન જવાની સલાહ આપી દેવામાં આવી છે.