સ્ટેચ્યુ ઓફ યુનિટી આ વખતે 16 અને 30 ઓગસ્ટે સોમવારના દિવસે પણ પતેતી અને જન્માષ્ટમીના તહેવારને કારણે ઓપન રહેશે. જ્યારે 17 અને 31 ઓગસ્ટ બંધ રાખવામાં આવશે.
17 અને 31 ઓગસ્ટે SOUના તમામ પ્રોજેક્ટ બંધ
16 અને 30 ઓગસ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ
પતેતી અને જન્માષ્ટીના પાવન અવસરે ખુલ્લુ રાખ્યું
ઓગસ્ટ મહિનામાં તહેવારોની રજા આવી રહી છે. જેથી મોટા ભાગના લોકો બહાર ફરવાનો પ્લાન કરી રહ્યા છે. પરંતુ જો તમે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આપનમે જણાવી દઈએ કે આ આ મહિને 2 દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનીટી બંધ રહેવાનું જો તમે તે દિવસોમાં ગયા તો તમને ધક્કો પડી શકે છે.
સોમવારે SOU બંધ હોય છે
આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનીટીના દિવસે તમે પતેતી અને જન્માષ્ટીમના પર્વ પર જઈ શકશો. કારણકે ત્યારે પ્રવાસીઓ માટે સ્થળને ઓપન રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે સોમવારના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનીટી બંધ રહેતું હોય છે.
16 અને 30 ઓગસ્ટે SOU ઓપન
જોકે આ વખતે 16 અને 30 ઓગસ્ટના રોજ સોમવાર આવી રહ્યો છે. તેમ છતા તહેવારોને ધ્યાનમાં રાખીને સોમવારે સ્ટેચ્યું ઓફ યુનિટી ઓપન રાખવામાં આવશે, જોકે તેની જગ્યાએ 17 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે બધાજ પ્રોજેક્ટો બંધ રાખવામાં આવ્યા છે. માટે જો તમે 17 અને 31 ઓગસ્ટે SOU જશો તો તમને ધક્કો પડી શકે છે.
તહેવારોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરાયો
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ રાખવામાં આવતી હોય છે. પરંતુ તહેવારોને ધ્યાનમાં રાખીને આ વખતે ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને પતેતી અને જન્માષ્ટમીના પાવન અવસરે આ વખતે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જઈ શકશો.