‘શિક્ષક કભી સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ બન્ને તેના ખોળામાં ઉછરે છે. ’ચાણક્યની આ વાતને સાર્થક કરવા જઈ રહ્યા છે ગુજરાતના શિક્ષકો. ગુજરાતના શિક્ષકો નિર્માણ કાર્ય માટે એવો નિર્ણય કર્યો છે જેને લઈને તમે પણ તેમના આ કાર્યને હરખથી વધાવી લેશો. કોરોના વાયરસના કહેરને પહોંચી વળવા શિક્ષકોએ રાહત ફંડ આપ્યું છે. જાણો તેમણે કેટલું ફંડ આપ્યું છે.
રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો એક દિવસનો પગાર આપશે
એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે શિક્ષકો
અંદાજે 2 લાખ શિક્ષકો રાહત ફંડમાં આપશે એક દિવસનો પગાર
કોરોનાના સંકટને પહોંચી વળવા માટે શિક્ષકો સરકારની વહારે આવ્યા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાહત ફંડની જાહેરાત કરી છે. રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોએ એક દિવસનો પગાર આપવાની જાહેરાત કરી છે. તેઓ તેમને એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે.
ગુજરાતના અંદાજે 2 લાખ શિક્ષકો રાહત ફંડમાં એક દિવસનો પગાર આપશે. જેનાથી રાજ્ય પાસે અંદાજે 40 કરોડ રૂપિયાનું ફંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં મળશે. ઉલ્લેખનીય છે કે જે શિક્ષકો ફંડ આપવા માંગે છે તેમના માટે એક મોબાઈલ નંબર જાહેર કર્યો છે. આ મોબાઈલ નંબર 99251 44519 છે. આ નંબર પરથી પ્રાથમિક શિક્ષક સંઘ કોષાધ્યક્ષ ભાભલુભાઈ સાથે વાત કરી તેની જાણકારી અને રાહત ફંડમાં મદદ કેવી રીતે આપી શકાય તેની માહિતી મળશે.
કોરોનાની બીમારી સામે લડવા માટે જે કોઈ મુખ્યમંત્રી રાહત ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપવા માંગે છે. તેઓ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરો પણ આ ફાળાના ચેક સ્વીકારશે. તેમજ આ પ્રમાણે આપેલ બેંક ખાતાની વિગતોમાં ઓનલાઈન આપી શકશે.
આ બેંક એકાઉન્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન યોગદાન આપી શકશો