પોખરા સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈના બચવાની સંભાવના નથી અને પાયલોટે પ્લેનને શહેરમાં ક્રેશ થવાથી બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.
પોખરામાં વિમાન ક્રેશ દુર્ઘટનામાં 68 મૃતદેહો મળી આવ્યા છે
વિમાન નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા તરફ જઈ રહ્યું હતું
પાયલોટે પ્લેનને શહેરમાં ક્રેશ થવાથી બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો
નેપાળના પોખરામાં રવિવારે યતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. નવીનતમ માહિતી અનુસાર આ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા છે. પોખરા સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈના બચવાની સંભાવના નથી અને પાયલોટે પ્લેનને શહેરમાં ક્રેશ થવાથી બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે આ વિમાન નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા તરફ જઈ રહ્યું હતું.
આ વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા. યતી એરલાઈન્સની ATR-72 ફ્લાઈટ પોખરા એરપોર્ટ પહોંચે તેના 10 સેકન્ડ પહેલા આ અકસ્માત થયો હતો. ખાસ વાત એ છે કે નેપાળના આ પોખરા એરપોર્ટનું ઉદ્ઘાટન 14 દિવસ પહેલા જ થયું હતું. આ અકસ્માત દિવસના 11.10 વાગ્યે થયો હતો. આ પ્લેન પોખરા ખીણમાં સેતી નદીના ખાડામાં પડી ગયું હતું.
#UPDATE | Nepal Aircraft crash: Death toll in a plane crash at Nepal's Pokhara airport rises to 68: Nepal's Civil Aviation Authority pic.twitter.com/VOrnyRbYVD
પોખરામાં ક્રેશ થયેલ યતિ એરલાઈન્સમાં 4 ક્રૂ મેમ્બર સહિત તમામ 72 મુસાફરોના મોત થયા છે. જેમાં 5 ભારતીય મુસાફરોનો પણ સમાવેશ થાય છે. પ્લેનમાં સવાર પાંચ ભારતીયોના નામ સંજય જયસ્વાલ, સોનુ જયસ્વાલ, અનિલ કુમાર રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા છે. 72 લોકોથી ભરેલ વિમાન ક્રેશ થવા પર નેપાળમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. બીજી તરફ, પોખરા એરપોર્ટ પર પ્લેન ક્રેશને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે સોમવારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
Nepal Aircraft crash | Delhi: This is very unfortunate we have already expressed our condolences. There were 5 Indians on the aircraft as per the press release shared by the airlines but details are yet to arrive: Shankar P Sharma, Nepal Ambassador to India pic.twitter.com/gJus2mETET
યતી એરલાઈન્સની ATR-72 ફ્લાઈટ પોખરા એરપોર્ટ પહોંચે તેના 10 સેકન્ડ પહેલા જ આ અકસ્માત થયો હતો. અંહિયા મહત્વની વાત એ છે કે નેપાળના પોખરા એરપોર્ટનું ઉદ્ઘાટન 14 દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. નેપાળના પોખરા એરપોર્ટ ચીનની મદદથી બનાવવામાં આવ્યું છે, આ એરપોર્ટને બનાવવા માટે ચીનની એક્ઝિમ બેંકે નેપાળને લોન આપી હતી. જણાવી દઈએ કે આ એરપોર્ટનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી, 2023ના રોજ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા કરવામાં આવ્યું હતું અને જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે જ વિમાનની ડેમો ફ્લાઇટ ઉદ્ઘાટનના દિવસે કરવામાં આવી હતી.
ATC તરફથી પ્લેનને મળી હતી લેન્ડિંગની પરવાનગી
પોખરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે યતી એરલાઈન્સનું પ્લેન રનવેથી માત્ર 10 સેકન્ડ દૂર હતું ત્યારે ક્રેશ થયું હતું. સાથે જ ATC એક કર્મચારીના જણાવ્યા અનુસાર પોખરાનો રનવે પૂર્વ-પશ્ચિમ દિશામાં બનેલો છે અને એરક્રાફ્ટના પાયલોટે અગાઉ પૂર્વ બાજુથી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી અને તેને આપવામાં પણ આવી હતી. પણ થોડા સમય પછી પાયલટે પશ્ચિમ બાજુથી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી અને ફરીથી પરવાનગી આપવામાં આવી હતી. આ સાથે જ સિવિલ એવિએશન ઓથોરિટીનું કહેવું છે કે લેન્ડિંગ પહેલા પ્લેનમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી એટલા ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની હશે એમ ન કહી શકાય.
#WATCH | Visual from Nepal's Pokhara International Airport where a passenger aircraft crashed earlier today. pic.twitter.com/C8XHL9f7Lu
અકસ્માત અંગે કેબિનેટની ઇમરજન્સી મિટિંગ
જણાવી દઈએ કે આ અકસ્માતને લઈને કાઠમંડુના બાલુવાતારમાં મંત્રી પરિષદની ઈમરજન્સી મિટિંગ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિમાન દુર્ઘટના બાદ અસરકારક બચાવ અને દુર્ઘટનાના ટેકનિકલ કારણોની શોધ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
જૂના અને નવા પોખરા એરપોર્ટ વચ્ચે અકસ્માત
યતી એરલાઈન્સના ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી અને આ 72 સીટર એરક્રાફ્ટમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 72 લોકો હતા. આ સાથે જ પ્લેન પોખરા પહોંચ્યું ત્યારે ક્રેશ થયું હતું. નેપાળી મીડિયા અનુસાર, આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો.
Nepal PM Pushpa Kamal Dahal 'Prachanda', along with Home Minister Rabi Lamichhane to arrive in Pokhara today, in wake of the aircraft crash at Pokhara airport.
A five-member committee has been formed to investigate the reasons for the crash.
વિમાનમાં 5 ભારતીય અને 4 રશિયન મુસાફરો સવાર
એક રિપોર્ટ અનુસાર આ વિમાનમાં નેપાળના 53, ભારતના 5, રશિયાના 4, દક્ષિણ કોરિયાના 2, આયર્લેન્ડના 1, આર્જેન્ટીના અને એક ફ્રાંસના નાગરિકો હતા. આ સાથે જ નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને ગૃહ પ્રધાન રવિ લામિછા ઇમરજન્સી મિટિંગ પછી સીધા કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.
નેપાળમાં બચાવ કાર્ય ચાલુ છે
નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ, નેપાળ પોલીસ તેમજ ત્યાંના સ્થાનિક નાગરિકો પણ આ બચાવ કાર્યમાં લાગેલા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 40થી વધુ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે જ નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.