શિવસેનાએ રાહુલ ગાંધીને કહ્યું કે ગઠબંધન માટે તેમણે શરદ પવાર સાથે હાથ મિલાવો જોઈએ. અગામી ચૂંટણીને લઈને વીપક્ષી દળો પહેલાથી અસમંજસમાં છે કારણકે કોંગ્રેસમાં હાલ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ નથી.
ચૂંટણીને લઈને વિપક્ષી દળ અસમંજસમાં
શરદ પવાર ગઠબંધન કરાવી શકે છે: શિવસેના
રાહુલ ગાંધી માત્ર ટ્વીટર પર પ્રહાર કરે છે: શિવસેના
ભારતમાં અગામી સમયમાં ચૂંટણીને લઈને બધીજ પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે શિવસેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે ભાજપ સામે ઉભા રહેવા માટે રાહુલ ગાંધીએ બધા વિપક્ષો સાથે મળીને એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે હાથ મીલાવી લેવો જોઈએ. શિવસેનાનું કહેવું છે કે રાહુલ ગાંધી સરકાર પર પ્રહાર કરે છે, પરંતુ તેઓ ટ્વીટર પર ટીપ્પણી કરતા હોય છે.
વડાપ્રધાનના તેવર બદલાઈ ગયા : શિવસેના
શિવસેના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેવર હવે બદલાઈ ગયા છે. સાથેજ શિવસેનાએ એવું પણ કહ્યું કે વડાપ્રધાનને ખ્યાલ છે કે દેશની સ્થિતિ હાલ તેમના હાથમાંથી નીકળી ગઈ છે. લોકોમાં રોષનો માહોલ છે, તેમ છતા ભાજપને વિશ્વાસ છે કે વિપક્ષ મજબૂત નથી જેના કારણે તેઓ સુરક્ષીત છે.
શરદ પવારે બેઠક બોલાવી હતી
ભાજપ સામે લડવા માટે શરદ પવારે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને તૃણમૂલ કોંગ્રેસ , સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી સહિત આઠ વિપક્ષી દળો સાથે બેઠક કરી હતી, જોકે આ બેઠકમાં શામેલ નેતાઓએ એવું કહ્યું કે બેઠક ભેગી કરવાથી કોઈ ફાયદો નથી થયો.
રાહુલ ગાંધીએ શરદ પવાર સાથે હાથ મિલાવો જોઈએ : શિવસેના
શિવસેનાના સલાહકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ બધાજ વિપક્ષી દળો સાથે ગઠબંધન કરવા માટે શરદ પવાર સાથે હાથ મીલાવી લેવો જોઈએ. સાથેજ તેણે એવું પણ કહ્યું કે વિપક્ષના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ એક વખત જરૂરથી બેઠક કરવી જોઈએ. તોજ તેમને ચૂંટણીમાં ફાયદો મળી રહેશે.
નેતૃત્વ મામલે સવાલો
શિવસેનાએ વધુંમાં એવું પણ કહ્યું કે, શરદ પવાર બધાજ વિપક્ષી દળોને એક સાથે લાવી શકે છે તેવું શિવસેનાનું માનવું છે. પરંતુ નેતૃત્વ મામલે સવાલ ઉભો થાય છે. કારણકે કોંગ્રેસ પાર્ટી હાલમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વગરની છે.