તાલિબાન મુદ્દે ભારતે અલગ અલગ પ્લાન તૈયાર કર્યા છે. જે મુદ્દે ઓલપાર્ટી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમા વડાપ્રધાન મોદીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરી હતી.
અફઘાનિસ્તાનની સ્થિતી પર યોજાઈ ઓલ પાર્ટી મીટિંગ
Pm મોદીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી બેઠક
દેશના હિત માટે લેવામાં આવશે મોટા નિર્ણય
અફઘાનિસ્તાનમાં તાલીબાનનું રાજ આવ્યા બાદ વિશ્વના બધાજ દેશો હાલ ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને એશિયાના ભૌગોલિક લેન્ડસ્કેપ પર તેની અસર દેખાવા લાગી છે. ચીને તેની ચાલ બદલી કાઢી છે અને પાકિસ્તાનતો તાલિબાનના સપોર્ટમાં પહેલાથી છે. બીજી તરફ હવે ભારત પણ તાલીબાન સાથે બેકડૌર પર વાત કરી રહ્યુ છે.
#WATCH Delhi | External Affairs Minister Dr S Jaishankar briefs all-party panel over the present situation in Afghanistan pic.twitter.com/AhyaggYDV1
PM મોદીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને અફઘાનિસ્તાન મુદ્દે બૈઠક કરી હતી. જે બેઠકમાં વિદેશમંત્રી જયશંકરે લોકોને બધીજ સ્થિતી પર માહિતગાર કર્યા, આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરીને લઈને ચર્ચા થઈ. સાથેજ તેમણે તાલિબાન સાથે કેવી રીતે વાત કરીશું અને અફઘાનિસ્તાનમાં આવેલ ભારતીય દૂતાવાસના સુરક્ષાને લઈને પણ માહિતી આપી હતી.
10 દિવસમાં ભારતે તેનું વલણ બદલ્યું
ઓલ પાર્ટી મીટિંગમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ બચાવ અભિયાનની પુરી માહિતી આપવામાં આવી હતી. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે દેશના હિત માટે તાલિબાન સાથે સંપર્ક સાંધશે. વિદેશ મંત્રાલય દ્વારા મળતા સૂત્રો અનુસાર છેલ્લા 10 દિવસમાં પરિસ્થિતી ગણી બદલાઈ જેની સામે ભારતે પણ પોતાનું વલણ બદલ્યું છે.
તાલિબાને તેની જૂના નિયમ બદલવા પડશે
સૂત્રો દ્વારા એવી પણ માહિતા સામે આવી છે કે ભારતે બધાજ શક્તિશાળી દેશોને કહ્યું છે કે તાલિબનને ત્યારેજ માન્યતા આપશે જ્યારે તે આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ શાસન કરશે. સાથેજ મહિલાઓના અધિકારને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી જેમા તાલિબાને તેના જુના નિયોમોમાં ફેરફાર લાવવા પડશે.
BRICS દેશો સાથે અજીત ડૌભાલે કરી વાતચીત
જો તાલિબાન સાથે સીધી વાતચીત નહી થાય તો બેકડોર ડિપ્લોમેસીનો રસ્તો ખુલ્લો છે. આ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે છેલ્લા 2 સપ્તાહમાં BRICS દેશો સાથે અફઘાનિસ્તાન મુદ્દે ઘણી ચર્ચા કરી છે. અમેરિકાના વિદેશમંત્રી એંટની બ્લિકંન સાથે પણ અજીત ડોભાલે વાતચીત કરી છે. ગત સપ્તાહે સુરક્ષા મુદ્દે કૈબિનેટ સમિતિની બેઠકમાં ડૌભાલે તેમના ઈનપુટ બધાની સામે મુક્યા હતા.
તાલીબાન આજે પણ પહેલા જેવુંજ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવતનું કહેવું છે કે તાલિબાન આજે પણ એવુજ છે જેવું તે 20 વર્ષ પહેલા હતું. સાથે તાલિબાનના આતંકી સંગઠનો સાથેના સંબંધો પર પણ તે આડકતરી રીતે વાત કરી હતી. જે મુદ્દે તેમણે ભારતની સુરક્ષા પર ચિંતા કરીને કહ્યું કે તેમણે ઈમરજન્સી યોજનાઓ પણ તૈયાર રાખી છે.