પ.બંગાળની મુખ્યમત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ભાજપને હરાવવા માટે કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટીઓેએ સાથે મળીને કામ કરવું જોઇએ. પ.બંગાળ વિધાનસભામાં મમતા બેનર્જીએ કહ્યું કે 'રાજ્યના લોકો ભટપાડામાં જોઇ રહ્યા છે કે ભાજપને વોટ આપ્યા બાદ શું થઇ રહ્યું છે. મને લાગે છે ભાજપ વિરુદ્ધ લડાઇ માટે આપણે સૌ (વિપક્ષ) સાથે આવવું જોઇએ. એનો અર્થ નથી કે, આપણે હાથ મિલાવી લઇએ. પરંતુ રાષ્ટ્રીય સ્તર પર સમાન મુ્દા પર આપણે સાથે આપી શકીએ છીએ.
'કટ મની' મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા પ.બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે જો પાર્ટીના કાર્યકર્તાઓને અનુશાસિત બનાવવાનો પ્રયાસ કરે છે તો તેમા કંઇપણ ખોટુ નથી. પંરતુ પુરાવા વિના કોઇને પણ તેમને બદનામ કરવાનો અધિકાર નથી.
મમતા બેનર્જીએ રાજ્ય વિધાનસભામાં કહ્યું કે, 'મે જે પણ કહ્યું હતું, તે પાર્ટી અધ્યક્ષની આંતરિક બેઠકમાં કહ્યું હતું. જો હું પાર્ટી કાર્યકર્તાઓને અનુશાસિત કરવાનો પ્રયાસ કરું છું તો તેમા ખોટું શું છે? સરકારી યોજનાઓનો દુરપયોગ ન થાય, જો પાર્ટીમાં કાર્યકર્તાઓને એ સુનિશ્ચિત કરવા કહું છું તો તેમા શું ખોટું છે.'