ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા અને બિહાર જેવા કેટલાય રાજ્ય ગંભીર હીટવેવની ઝપેટમાં છે અને હવામાન વિભાગે તીવ્ર ગરમી-હીટવેવની ચેતવણી આપી છે.
દેશના અનેક રાજ્યમાં હીટવેવનો કહેર યથાવત છે. દેશના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો પણ 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા અને બિહાર જેવા કેટલાય રાજ્ય ગંભીર હીટવેવની ઝપેટમાં છે અને હવામાન વિભાગે તીવ્ર ગરમી-હીટવેવની ચેતવણી આપી છે. ગુજરાતના વાતાવરણમાં પણ સતત પલટો આવી રહ્યો છે. ગરમીમાં પણ અચાનક વાદળછાયું વાતાવરણ થઇ જાય છે. તો ક્યારેક કાળઝાળ ગરમી પડે છે. ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થવાની શક્યતાઓ છે. ઉત્તરી દિશાથી સૂકા પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં વધારો થશે.
રાજ્ય સરકાર દ્વારા RTE એક્ટ, 2009 આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય છે. ઘણા જિલ્લાઓમાં ગરીબ વાલીઓને મનગમતી શાળામાં પ્રવેશ આપવાના નામે પૈસા પડાવતા એજન્ટો સક્રિય હોવાનું રાજ્ય સરકારના ધ્યાને આવ્યું છે. આવા બોગસ એજન્ટો દ્વારા ખોટા પુરાવાઓ તૈયાર કરવાની લાલચ આપવામાં આવે છે. આથી જાહેર જનતાને આવી ભ્રામક જાહેરાતો કે લોભ-લાલચમાં ફસાયા વિના કોઈપણ પ્રકારના નાણાંની લેવડદેવડ નહી કરવા તેમજ આવા કોઈ એજન્ટો આસપાસ જણાય તો તાત્કાલિક સંબંધિત જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી અથવા વોટ્સએપ હેલ્પલાઈન નં. ૭૦૪૬૦૨૧૦૨૨ પર તાત્કાલિક ફરિયાદ કરવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે. તેમજ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે માટે તા.૨૨/૦૪/૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સધારકો માટે આનંદના સમાચાર છે. આજથી તંત્ર દ્વારા એડ્વાન્સ ટેક્સ રિબેટ યોજના હેઠળ કરદાતાઓને ૧૫ ટકા રિબેટનો લાભ મળતો રહેશે. આ સ્કીમ એક મહિના સુધી એટલે કે તા. ૧૭ મે સુધી ચાલનારી એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાના મામલે અત્યાર સુધીની ઐતિહાસિક ગણાય તેવી સ્કીમ છે. શહેરના પ્રામાણિક કરદાતાઓ માટે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ૧૫ ટકા રિબેટ મળે તેવી અભૂતપૂર્વ યોજનાની જાહેરાત કરાઈ હોઈ તેની અમલવારી આવતી કાલથી થશે. તંત્ર દ્વારા સળંગ ત્રણ વર્ષ સુધી એડ્વાન્સમાં ટેક્સ ભરપાઈ કરનારા કરદાતાઓને વધુ બે ટકા રિબેટ આપવાની જાહેરાત કરાઈ હોઈ ચાલુ નાણાકીય વર્ષમાં પહેલી વખત પ્રામાણિક કરદાતાઓને આ સ્કીમથી ટેક્સબિલમાં ૧૫ ટકા રિબેટ મળશે.
પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને તલાટીની પરીક્ષા અંગે મહત્વની જાણકારી આપી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે.'
ડમી કાંડ મામલે ભાવનગરમાં શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આરોપી શરદ પનોદને શિક્ષકના પદ પરથી સસ્પેન્ડ કરાયો છે. સરતાનપર પ્રાથમિક શાળામાં શરદ પનોદ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો તેમજ પ્રકાશ ઉર્ફે પી.કે.દવેને BRC કો-ઓર્ડિનેટરમાંથી સસ્પેન્ડ કરાયો છે. ડમીકાંડમાં નામ સામે આવ્યા બાદ DEO કિશોર મૈયાણીએ કાર્યવાહી કરી છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરાઈ હતી, વિગતો મુજબ અટકાયતનું કારણ એવું સામે આવ્યું છે કે ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરી હતી. ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી. અટકાત બાદ ઈટાલિયાને છોડી પણ મુકવામાં આવ્યો હતો. જે મુદ્દે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, મારા પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ આ જ વાત બોલ્યા છે, પણ હું બોલ્યો તો મને હેરાન કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ રીતે મારો અને કેજરીવાલનો મનોબળ તોડી શકશે નહીં અને પૂછપરછ માટે મને લાવવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચનો આભાર માનું છું, તેમનું વલણ સારું રહ્યું. તેમણે જણાવ્યું કે, જામીનપાત્ર ગુનો હોવાથી જામીન મળ્યા છે
જેતપુરનાં મોટા ગુંદાળા ગામે રહેતી અને સ્વામિનારાયણ સ્કૂલમાં ધો. 4 માં અભ્યાસ કરતી 9 વર્ષીય વિદ્યાર્થીની કેશવી અભંગીને સ્કૂલ બસે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સ્કૂલાંથી વિદ્યાર્થીઓને લઈ સ્કૂલ બસ ગામમાં વિદ્યાર્થીઓને મુકવા માટે આવી હતી. ત્યાારે વિદ્યાર્થીની બસમાંથી ઉતરીને જઈ રહી હતી. તે દરમ્યાન સ્કૂલ બસનાં ડ્રાયવરે ગાડી રીવર્સ લેતા સ્કૂલ બસ વિદ્યાર્થીની પર ફરી વળી હતી. વિદ્યાર્થીનીને તાત્કાલીક ધોરણે હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતું 9 વર્ષીય બાળકીનું પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું. આ સમગ્ર બનાર અંગેની જાણ ભાજપનાં ધારાસભ્ય જયેશ રાદડિયાને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને સિવિલ સુપ્રિટેન્ડન્ટને ખખડાવ્યા હતા. ત્યારે સિવિલનાં ર્ડાક્ટર દ્વારા ફોરેન્સિક પીએમ કરવાનું કહેતા ધારાસભ્યએ ર્ડાક્ટરનો પણ ઉધડો લીધો હતો.
વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. ભાયલી બાદ વધુ એક વિસ્તારનો રોડ પીગળી ગયો છે. ત્યારે વડોદરાના ચકલી સર્કલ પાસે બનાવવામાં આવેલો રોડ પીગળી ગયો છે. 2 દિવસ પહેલાં રોડ બનાવવામાં આવ્યો હતો. બે જ દિવસમાં રોડ પીગળી જતા ભ્રષ્ટ્રાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ત્યારે વાહન ચાલકોએ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટ્રાચારનાં આક્ષેપ કર્યા છે. કોન્ટ્રાક્ટરે તાત્કાલીક રોડમાં રેતી નાંખવાની કામગીરી શરૂ કરી હતી.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. એપ્રિલના અંતમાં કોંગ્રેસનું ગુજરાતમાં મોટું શક્તિ પ્રદર્શન યોજાશે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવી શકે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મોટા નેતાઓ જે કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યાતાઓ છે. જે કાર્યક્રમ આગામી 30 એપ્રિલેના રોજ યાજાશે. આ કાર્યક્રમ મધ્ય ગુજરાત અથવા ઉત્તર ગુજરાતમાં યોજાઈ શકે છે. રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ સહિતના મુદ્દે કોંગ્રેસનું ગુજરાતમાં મોટું સંમેલન યોજાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના શુભારંભ સમારોહમાં સંબોધતા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તમિલનાડુ અને ગુજરાત,આ બે પ્રદેશોના મિલનનો આ કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક વૈભવના દર્શન કરાવે છે. ભગવાન સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વરદહસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 'સૌરાષ્ટ્ર તમિલ સંગમમ' કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો હતો.
ગુજરાત કોરોના અપડેટ | રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, આજે નવા 174 કેસ, એક્ટિવ કેસનો આંકડો 2215 પર પહોંચ્યો, વેન્ટિલેટર 05, અમદાવાદમાં સૌથી વધુ 57 કેસ
માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની તાજેતરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રવિવારે રાત્રે બંનેને પ્રયાગરાજના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. શનિવારે મીડિયાકર્મીઓના પ્રશ્નોના જવાબ આપતી વખતે બંનેની હત્યા કરવામાં આવી હતી. આ સનસનીખેજ ઘટના બાદ હવે નવી નવી માહિતી સામે આવી રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે અતીકે પોતાની હત્યાના થોડા દિવસ પહેલા એક પત્ર લખ્યો હતો. આ પત્ર સુપ્રીમ કોર્ટને સંબોધીને લખવામાં આવ્યો હતો અને તેને સુપ્રીમ કોર્ટમાં પણ મુકવામાં આવ્યો છે. પત્ર ખુલ્યા બાદ અનેક મહત્વના રહસ્યો પણ સામે આવી શકે છે.
રિપોર્ટ અનુસાર રાહુલ ગાંઘીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકારને UPA સરકાર દ્વારા 2011માં શરૂ કરવામાં આવેલી જાતિગત જનગણનાનાં આંકડાઓ જાહેર કરવાનો પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી કે જો OBC, દલિત અને આદિવાસીઓને તેમની જનસંખ્યા અનુસાર દેશની રાજનીતિમાં પર્યાપ્ત પ્રતિનિધત્વ ફાળવવું હોય તો 2011માં થયેલ OBC સેંસસનાં રિપોર્ટ જાહેર કરવા પડશે. તેમણે કહ્યું કે જ્યારે અમે દલિત, ઓબીસી, ભારતનાં લોકોની વાત કરીએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન શું હોય છે કે ક્યાં વર્ગની આબાદી સૌથી વધારે છે. જો તમે સરકારમાં સચિવોની સંખ્યા જુઓ તો માત્ર 7% ઓબીસી, આદિવાસી અને દલિત છે. તમે સંપત્તિનાં વિભાજન અને રાજનૈતિક પ્રતિનિધિત્વની વાત કરો એ પહેલાં દેશમાં ઓબીસી, આદિવાસીઓ અને દલિતોની આબાદી કેટલી છે એ સૌથી મોટો પ્રશ્ન છે.
કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી આપવાનો વિરોધ કર્યો છે. રવિવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જેમાં સમલૈંગિક વિવાહને કાયદેસર બનાવવાની માંગ કરતી અરજીઓનાં સ્વીકાર પર સવાલો કર્યાં છે. સરકારે દલીલ કરતાં કહ્યું કે હિંદૂ અને મુસ્લિમ ધર્મમાં સેમ સેક્સ મેરેજ અમાન્ય છે. સરકારે કહ્યું કે લગ્ન જેવા સામાજિક સંબંધો તમામ ધર્મોમાં ઘણું મહત્વ ધરાવે છે અને હિન્દૂ કાયદાની તમામ શાખાઓમાં તેને પવિત્ર માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું કે મુસ્લિમ ધર્મ કે જેમાં લગ્ન એક કરાર છે તેમાં પણ માન્ય વિવાહ માત્ર એક પુરુષ અને સ્ત્રી વચ્ચે જ થાય છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી સીબીઆઇ કેસમાં 17 એપ્રિલ અને ઇડી કેસમાં 27 એપ્રિલ સુધી વધારી દીધી છે. આ પહેલા ત્રણ વાર કોર્ટ સિસોદીયાની કસ્ટડી વધારી દીધી છે. સિસોદીયા સામે સીબીઆઈ અને ઈડી એમ બે એજન્સી તપાસ ચલાવી રહી છે. કોર્ટે ઇડીના વકીલની એ રજૂઆતોની પણ નોંધ લીધી હતી કે એજન્સી આ મહિનાના અંત સુધીમાં ચાર્જશીટ (પ્રોસિક્યુશન ફરિયાદ) દાખલ કરવા જઈ રહી છે.એક્સાઇઝ કૌભાંડ કેસમાં આરોપી મનીષ સિસોદિયા, અરૂણ રામચંદ્ર પિલ્લઇ અને અમનદીપ ધલની જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં અરુણ પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી 29 એપ્રિલ સુધી વધારી દીધી છે.
એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે હાઈ વોલ્ટેજ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હરાવ્યું છે. આ મેચે સૌના શ્વાસ રોકી દે દેવી રોમાંચક હતી. સીએસકેના ખાતામાં મેચની જીત જોવા મળી રહી હતી તો વળી ક્યારેક વિરાટ કોહલીથી સજ્જ આરસીબીનો દબદબો દેખાઈ રહ્યો હતો, પરંતુ આખરે ધોનીએ આ મેચ જીતી લીધી છે. CSKને 227 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં બેંગ્લોરની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 218 રન જ બનાવી શકી હતી.
Scoring a cracking 8⃣3⃣, Devon Conway put on an impressive show with the bat and bagged the Player of the Match award as @ChennaiIPL sealed a win against #RCB. 👏 👏