ગાંધીનગર:કોંગ્રેસના સભ્યોને વિધાનસભામાંથી સાંજ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ત્યારે હવે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ નિવેદન આપ્યુ છે કે ગૃહમાં અમારો આવાજ દબાવવામાં આવી રહ્યો છે.અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવશે.અધ્યક્ષ દ્વારા કોંગ્રેસ સાથે પક્ષપાત કરવામાં આવશે.
મહત્વનુ છે કે ટીંગા ટોળી કરીને કોંગ્રેસને સભ્યોને બહાર ખસેડવામાં આવ્યા છે.ઈમરાન ખેડાવાલા લલિત વસોયા કુંવરજી બાવળિયા સહિતના ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કરવામાં આવ્યા છે.વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમિત ચાવડા અને અનિલ જોશીયારા ગૃહમાં ઉપસ્થિત હતા.ત્યાર બાદ તેમણે પણ ગૃહ છોડયુ હતું.
મહત્વનુ છે કે પેટ્રોલ ડિઝલના ભાવ અંગે વિધાનસભામાં હોબાળો મચ્યો હતો.આ દરમિયાન હોબાળો થતા કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં અધ્યક્ષના ચેમ્બર પાસે ધરણા પર બેઠા છે.