વાયુ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહીં ત્યાં સુધી માર્કેટયાર્ડ બંધ રહેશે. APMC અને વેપારી એસોસિએશન દ્વારા લેવાયેલો આ નિર્ણય ખેડૂત અને તેના માલને નુકસાન ન થાય તે હેતુથી લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને કારણે કોઈ માલને નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઈ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ ખેડૂતોને પણ પોતાનો માલ લઇને માર્કેટ યાર્ડ નહીં આવવા અપીલ કરવામાં આવી છે.
PGVCL તંત્ર એલર્ટ રખાયું
વાયુ વાવાઝોડાના પગલે PGVCL તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે 49 ટીમો સ્ટેન્ડબાય તૈયાર રાખી છે. PGVCL, DGVCL, UGVCL અને MGVCLની 49 ટીમ બોલાવાઈ. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં 8500 પોલ શિફ્ટ કરવામાં આવ્યા છે.
હવામાન ખાતાની આગાહી
આ સાથે જ હવામાન ખાતના અધિકારીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, વાવાઝોડા સ્પીડમાં ઘડાડો પણ પવનની તિવ્રતામાં વધારો થયો છે. વાયુ વાવાઝોડુ 150થી 160 કીમી પ્રતિ કલાકની ઝડપે જમીન પર આવશે, જેની અસર સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં અસર થઇ શકે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2019
સૌરાષ્ટ્રને અસર
આપને જણાવી દઇએ કે, વાયુ વાવાઝોડાની અસર દ્રારકા, જામનગર, કચ્છમાં પણ વાયુ વાવાઝોડાનો ખતરો યથવાત છે તો અમરેલી અને ભાવનગરમાં પણ વાયુ વાવાઝોડાની અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.