ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 96 થઇ ચૂકી છે. આ વાયરસથી અત્યાર સુધીમાં ત્રણ પીડિતોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે.
મહારાષ્ટ્રમાં 31 માર્ચ સુધી તમામ મોલ બંધ
સંક્રમિત દર્દીઓમાં કોઈ ગંભીર લક્ષણ નહીં
શાળા કોલેજો પણ 31 માર્ચ સુધી બંધ
કોરોના વાયરસના વધતા કેસને જોતા ભારત સરકારે આને રાષ્ટ્રીય સંકટ જાહેર કરી દીધું છે. ત્યારે રાજ્ય સરકારે આને ગંભીરતાથી જોતા મહત્વના પગલા ભરી રહી છે. મહારાષ્ટ્રમાં થિયેટર્સ, જિમ, સ્વિમિંગ પુલ બાદ હવે તમામ શોપિંગ મોલને 31 માર્ચ સુધી બંધ કરી દેવાયા છે. માત્ર દૈનિક જરૂરિયાતની વસ્તુઓ જ મળી શકશે. ત્યારે ધોરણ 1થી 9માં સુધી તમામ પરિક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે. તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો 31 માર્ચ સુધી બંધ રહેશે. મ્યૂનિસિપલ કાઉન્સિલ, સિટી કાઉન્સિલ, ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ્સ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાનોને પણ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે.
એટલું જ નહીં મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, ધોરણ 1થી 9માં સુધીની પરીક્ષાઓ ચાલી રહી છે તો તેને સ્થગિત કરી દેવામાં આવશે, માત્ર 10માં અને 12માંની બોર્ડની પરીક્ષાઓ નક્કી કાર્યક્રમ અનુસાર લેવાશે.
સરકાર કોઇ વસ્તુ પર પ્રતિબંધ લગાવે એના કરતા લોકો પોતે સંયમ રાખેઃ ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકેરેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું લોકોને અપીલ કરું છું કે તેઓ ડરે નહીં. આપણે લોકો જે નિર્ણય લઇ રહ્યા છીએ તે સાવચેતી છે, જેનાથી આનો ફેલાવો રોકાવી શકાશે. અત્યાર સુધીમાં જે પણ સંક્રમિત રોગી મળ્યા છે, તેમના કોઈ ગંભીર લક્ષણ નથી મળ્યા. વધુમાં તેમણે કહ્યું કે સરકાર કોઇ વસ્તુ પર પ્રતિબંધ લગાવે, યોગ્ય હશે કે લોકો જાતે સંયમ રાખે, અમે લોકો ટોળાને રોકવાના પ્રયાસ કરી રહ્યા છીએ.
થિયેટર ચાલુ હશે તો થશે કાર્યવાહી
ત્યારે થિયેટર માલિકોને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ થિયેટર બંધ ન મળ્યું તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. થિયેટર બાદ હવે જિમ, સ્વિમિંગ પુલ અને હવે મોલ તમામને 31 માર્ચ સુધી બંધ કરી દેવાયા છે.