NCP સાંસદ અમોલ કોલ્હે એવું કહ્યું કે ઉદ્ધવ ઠાકરે શરદ પવારને કારણે મુખ્યમંત્રી છે. આ મામલે શિવસેના પ્રવક્તા દ્વારા તેમને એવું કહેવામાં આવ્યું કે તેઓ ગઠબંધનમાં ઝેર ન ભેળવે અને સત્તા સાચવીને રાખે.
મહારાષ્ટ્રની રાજનીતીમાં મોટા બદલાવની આશંકા
NCPના સાંસદને શિવસેનાએ આપી સલાહ
અમોલ કોલ્હે ગઠબંધનમાં ઝેર ન ભેળવવાની આપી સલાહ
મહારાષ્ટ્રની રાજનીતીમાં છેલ્લા ઘણા સમયથી અંદરોઅંદર વિખવાદ જોવા મળી રહ્યા છે. શિવસેના અને એનસીપી વચ્ચેનો તણાવ અટકવાનો નામજ નથી લઈ રહ્યો. શિવસેના હાલ એનસીપી સાંસદ અમોલ કોલ્હેથી નારાજ છે તેમજ તેને ખોટી વાતો ન ફેલાવા માટે શિવસેના દ્વારા સલાહ આપવામાં આવી છે.
અમોલસ કોલ્હેને સલાહ
શિવસેનાએ એનસપી સાંસદ અમોલ કોલ્હેને એવી પણ સલાહ આપી છે કે બંને પાર્ટી વચ્ચે ઝેર ન લાવે સાથેજ એવું પણ કીધું કે સત્તા મળી છે તેને સાચવીને રાખે. આપને જણાવી દઈએ કે કોલ્હેએ એવું કીધું હતું કે શરદ પવારના આશિર્વાદને કારણે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી છે.
શિવસેના પ્રવક્તાની સલાહ
આ મામલે શિવસેનાના પ્રવક્તા કિશોર કાન્હેરે એવું કહ્યું કે તેમણે એ વસ્તુ ન ભૂલવી જોઈએ કે ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને શરદ પવાર ઉદ્ધવ ઠાકરેને રાજ્ય ચલાવા માટે વિનંતી કરી રહ્યા હતા. તેમણે વધુંમાં એવુ પણ કહ્યું કે એક અભિનેતા જે લેખીત સંવાદો વાચવાનો આદી છે. તે ભૂલી ગયો કે તે પણ ઉદ્ધવ ઠાકરેના આશીર્વાદને કારણે રાજનીતિમાં છે.
શરદ પવારના આશિર્વાદ
અમોલ કોલ્હે દ્વારા સામાજિક કાર્યક્રમમાં એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે એટલા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે, કારણકે તેમની પાસે શરદ પવારનો આશીર્વાદ છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે એનસીપીમાં જોડાયા પહેલા અમોલ કોલ્હે પણ શિવસેનામાંજ હતા.
મહારાષ્ટ્રની રાજનીતીમાં બદલાવની આશંકા
ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે એનસીપી પ્રમુખ શરદ પવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરી હતી. તે સિવાય શરદ પવારે વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી. જેના કારણે મહારાષ્ટ્રની રાજનિતીમાં ટૂંક સમયમાં મોટા બદલાવ જોવા મળશે તેવી આશંકા સેવાઈ રહી છે.