દેશમાં કોવિડ-19ના કેસોમાં થયેલા વધારા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સ્વદેશ આગમન બાદ સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું ફરજિયાત બનાવ્યું છે.
આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે નવી ગાઇડલાઇન
યાત્રીઓ માટે ફરજિયાત 7 દિવસ હોમ કોરોન્ટાઇન
રિપોર્ટ નેગેટિવ આવે તો પણ કોરોન્ટાઇન
ત્યારબાદ આઠમા દિવસે આ લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. નવા સરકારી પરિપત્રમાં જણાવાયું છે કે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા 11 જાન્યુઆરી, 2022 થી આગળના આદેશો સુધી માન્ય રહેશે.
પોર્ટલ પર આપવી પડશે જાણકારી
નવા પરિપત્ર મુજબ, ભારતની મુસાફરી કરવા ઇચ્છુક લોકોએ ઓનલાઈન એર સુવિધા પોર્ટલ https://www.newdelhiairport.in/airsuvidha/apho-registrationની મુલાકાત લેવી જરૂરી છે. પરંતુ સંપૂર્ણ અને વાસ્તવિક માહિતી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં આપવાની રહેશે.
COVID19 | All international arrivals to undergo 7-day mandatory home quarantine: Government of India pic.twitter.com/XR7nHcmr9T
તેઓએ પ્રવાસની શરૂઆતના 72 કલાકની અંદર કોવિડ-19 નેગેટિવ RT-PCR રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે. અન્ય વિગતો ઉપરાંત, જે મુસાફરોને આગમન પર ટેસ્ટની જરૂર હોય તેઓએ એર સુવિધા પોર્ટલ પર ઓનલાઈન ટેસ્ટનું પ્રી-બુક કરવું જોઈએ.
આ ઉપરાંત, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જોખમવાળા દેશોમાંથી આવતા મુસાફરોને એરલાઇન્સ દ્વારા જાણ કરવી પડશે કે તેઓ પહોંચ્યા પછી પરીક્ષણોમાંથી પસાર થશે અને સકારાત્મક પરીક્ષણ પછી કડક આઇસોલેશન પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય
સાથે જ એરલાયન્સ તરફથી ટિકિટની સાથે પ્રવાસીઓએ શું કરવું અને શું ન કરવો તેના નિયમોનો એક નમૂનો પણ આપવામાં આવ્યો છે. તો મોબાઈલ ડિવાઈસ પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે.
ભારતમાં ગત 24 કલાક નોંધાયા છે 1 લાખ 17 હજારથી વધુ કેસ
ભારતમાં કોરોનાના કેસોએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. દેશમાં ગુરુવારે કોરોનાના 1.17 લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. દૈનિક મામલામાં 5 જૂન 2021 બાદ આ સૌથી વધારે વૃધ્ધિ છે. ઉલ્લેખનયી છે કે દેશમાં કોરોનાના નવા વેરિએન્ટને લીધે ત્રીજી લહેરની શરુઆત થઈ ચૂકી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ઓમિક્રોનના કારણે બીજી લહેરની સરખામણીએ તે ખૂબ સ્પીડમાં ફેલાઈ રહ્યો છે.
દૈનિક મામલા ફક્ત 10 દિવસોમાં 10 ગણા વધારે હોઈ શકે
શુક્રવારે સામે આવેલા મામલાની સંખ્યા 1, 17, 100 છે. અને મૃત્યુઆંક 302 નોંધાયો છે. આનો મતલબ એ છે કે દૈનિક મામલા ફક્ત 10 દિવસોમાં 10 ગણા વધારે હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બરે ફક્ત 9,155 નવા સંક્રમણના કેસ નોંધાવામાં આવ્યા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 24×7 કન્ટ્રોલ રુમ બનાવવાનો નિર્દેશ કર્યો
દેશભરમાં ડર્ઝન રાજ્ય સરકારે પહેલા જ નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ લોકડાઉનની સાથે સાથે સ્કૂલો પણ બંધ કરી દીધી છે જો કે અનેક રાજ્યોમાં રાજનીતિક રેલીઓ જારી છે. જ્યાં આવતા કેટલાક મહિનાઓમાં ચૂંટણી થવાની છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યોને જિલ્લા અને ઉપજિલ્લા સ્તર પર 24×7 કન્ટ્રોલ રુમ બનાવવાનો નિર્દેશ કર્યો છે. જેને હેતુ ગંભીર દર્દીઓ માટે એમ્બ્યુલન્સ અને હોસ્પિટલના બેડનું બુકિંગ જેવી સુવિધા સુનિશ્ચિક કરવાનો છે.