ઈન્કમ ટેક્સથી લઈને આધાર કાર્ડ સુધીના તમામ જરૂરી કામ કરવા માટે તમારી પાસે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે. આ બધાં જ જરૂરી કામ કરી લેવા જરૂરી છે નહીંતર તમને જ મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.
ટેક્સથી જોડાયેલું આ કામ કરી લો
કોરોના સંકટ વચ્ચે સરકારે આવકવેરા ભરનારાઓને મોટી રાહત આપતા નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા વળતર ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. કાલ આ અવધિ સમાપ્ત થવાની છે. જેથી જો કોઈ રિટર્ન ફાઈલ નહીં કરે તો પછી રિટર્ન નહીં કરી શકે. સામાન્ય રીતે નિયત તારીખ સુધીમાં આવકવેરા રીટર્ન ન ભરવા પર ચાર્જિસ લાગે છે. જો આઈટીઆઈ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે અને તમે 31 ઓગસ્ટ સુધીમાં રિટર્ન ફાઇલ કર્યું નથી, તો તમારે દંડ ભરવો પડશે.
આધાર સાથે રાશન કાર્ડ લિંક કરવું
જો આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક નથી, તો ફટાફટ કરાવી દો, કારણ કે 30 સપ્ટેમ્બર બાદ તમને પીડીએલ હેઠળ સસ્તું અનાજ નહીં મળે. જેથી તેના માટે આધાર સાથે રાશન કાર્ડ લિંક કરવું જરૂરી છે. તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.
ફ્રીમાં રસોઈ ગેસનું કનેક્શન નહીં મળે
વડા પ્રધાન ઉજ્જવલા યોજના (પીએમયુવાય) હેઠળ, મફતમાં ગેસ કનેક્શન મેળવવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2020ના રોજ સમાપ્ત થઈ રહી છે. કોરોનાને કારણે કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજનાની તારીખ એપ્રિલથી સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો સમય ગુમાવ્યા વિના 30 સપ્ટેમ્બર પહેલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmujjwalayojana.com પર જાવ અને ફોર્મ ડાઉનલોડ કરો અને નજીકના ગેસ ડીલરને સબમિટ કરો.
સસ્તી કિંમતમાં ઘર ખરીદવાની તક
દેશની સૌથી મોટી સરકારી બેંક હજારો સંપત્તિની હરાજી કરવા જઈ રહી છે. આ એવા લોકો માટે ખાસ છે જેઓ સસ્તા ભાવે પોતાનું મકાન ખરીદવા માંગે છે. ભારતીય સ્ટેટ બેંક આવા લોકોને સસ્તા મકાનો, પ્લોટ અથવા દુકાન વગેરે ખરીદવાની તક આપી રહી છે. આ માટે એસબીઆઇ દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ મેગા ઇ-ઓક્શનનું આયોજન કરવામાં આવશે.
30 સપ્ટેમ્બર પછી ટીવી ખરીદવી મોંઘી પડશે
1 ઓક્ટોબરથી ટેલિવિઝન ખરીદવું પણ મોંઘુ પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે ટીવીના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ઓપન સેલ્સની આયાત પર 5 ટકાની કસ્ટમ ડ્યૂટી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકારે એક વર્ષની છૂટ આપી હતી, જે 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે. ટીવીની કિંમતમાં 600 રૂપિયાથી 1,500 સુધીનો વધારો થશે.