કેવડિયા ખાતે આજથી ત્રિ-દિવસીય આરોગ્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે 5 થી 7મી મે 2022 સુધી આ કોન્ફરન્સનું આયોજન રાખવામાં આવ્યું છે. આ પહેલા 13મી આરોગ્ય કોન્ફરન્સ દિલ્હી ખાતે આયોજન થયું હતું. જયારે આ વખતે પ્રથમ વખત કેવડિયા ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠક રૂપે રાષ્ટ્રિય સ્વાસ્થય ત્રિ-દિવસીય કોન્ફરન્સનું આયોજન થયું છે.
દુનિયાને આયુર્વેદથી અવગત કરાવવા માટેનો પણ પ્રયાસ થશે
ઉલ્લેખનીય છે કે, મનસુખ માંડવિયાના વડપણ હેઠળ યોજાનારા આ રાષ્ટ્રિય કોન્ફરન્સમાં દેશના બધા જ રાજ્યોના આરોગ્ય સચિવો, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવો,અધિક આરોગ્ય સચિવો, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો, આરોગ્ય કમિશનરો તેમજ રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મિશનના ડાયરેકટરો પણ આ શિબિરમાં જોડાશે. આ કોન્ફરન્સમાં આરોગ્ય ક્ષેત્રે થયેલી કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવશે. તેમજ દુનિયાને આયુર્વેદથી અવગત કરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવશે.