RRB-NTPCના રિઝલ્ટમાં ગોટાળાના વિરોધમાં યુપી અને બિહારના વિદ્યાર્થીઓ ભારે ઉત્પાત મચાવી રહ્યાં છે. વિદ્યાર્થીઓનું પ્રદર્શન બુધવારે પણ ચાલુ રહ્યું હતું. બિહારના ગયા જંક્શન પર વિદ્યાર્થીઓએ ત્રણ કોચમાં આગ લગાડી દીધી હતી. રેલવે ભરતી બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ બિહારની સાથે-સાથે યુપીના ઘણા વિસ્તારોમાં પણ ફેલાઈ ગયો છે. પટનાની સાથે યુપીના પ્રયાગરાજમાં પણ ઉમેદવારોએ પ્રદર્શન કર્યું છે.
Students can submit their grievances before the committee till February 16. The committee will examine the grievances and submit its recommendations before March 4: Railway Minister Ashwini Vaishnaw pic.twitter.com/FFTcwlxIvD
'લેવલ-1ની ભરતી પર પ્રતિબંધ'
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઉમેદવારોને શાંતિ જાળવવા અને રેલવે સંપત્તિને નુકસાન ન પહોંચાડવાની અપીલ કરી છે. રેલવે મંત્રીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઉમેદવારોના વિરોધને ધ્યાનમાં રાખીને નોન-ટેક્નિકલ અને રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની લેવલ-1ની પરીક્ષાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાસ અથવા નિષ્ફળ ઉમેદવારોને સાંભળવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી રેલવે મંત્રાલયને રિપોર્ટ સોંપશે, ત્યારબાદ ઉમેદવારોના હિતમાં આગળનો નિર્ણય લેવામાં આવશે.
All RRB chairmen have been asked to listen to the concerns of students, compile them and send them to the committee. An email address has been set up for this purpose. The committee will go to different parts of the country &listen to grievances: Railway Minister Ashwini Vaishnaw pic.twitter.com/wdCO5ze9Sm
'ફરિયાદો સાંભળવા માટે સમિતિની રચના'
રેલવે મંત્રીએ કહ્યું કે, રેલવે ભરતી બોર્ડના તમામ અધ્યક્ષોને વિદ્યાર્થીઓની ચિંતા સાંભળવા, તેમનું સંકલન કરીને કમિટી પાસે મોકલવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે એક ઇમેઇલ પણ જારી કરવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારો પોતાના વાંધા મોકલી શકે છે. રેલવેની આ કમિટી દેશના અલગ અલગ ભાગોમાં જશે અને ત્યાંના ઉમેદવારોની ફરિયાદો સાંભળશે.'ઉમેદવારોના વાંધાને ધ્યાનમાં રાખીને' રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓને એક સાથે પરીક્ષા આપવા માટે મળવું ખૂબ મુશ્કેલ છે. આ કારણે પરીક્ષાના બે લેવલ થઈ ગયા હતા. જો ઉમેદવારો આ અંગે અસંમત છે, તો અમે તેના પર પુનર્વિચારણા કરી રહ્યા છીએ. "
'રેલવેની સંપત્તિને નુકસાન ન પહોંચાડો'
અશ્વિની વૈષ્ણવે ઉમેદવારોને અપીલ કરી હતી કે, "હું મારા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે રેલવે તમારી સંપત્તિ છે. તમારી મિલકત પર અંકુશ રાખજો. અમે તમારી બધી ફરિયાદો અને મુદ્દાઓ પર ધ્યાન આપીશું જે અત્યાર સુધી ઉભરી આવ્યા છે. મારી અપીલ છે કે તમે કાયદો પોતાના હાથમાં ન લો. અમે તમારી ફરિયાદો અને ચિંતાઓનું ગંભીરતાથી નિરાકરણ લાવીશું.
On students' protest against alleged irregularities in Non-Technical Popular Categories exams, Railway Minister Ashwini Vaishnaw says, "I request students not to take the law into their hands. We will seriously address the grievances and concerns raised by them." pic.twitter.com/7I7rL890BL
RRB-NTPC પરીક્ષાના રિઝલ્ટમાં ગોટાળા સામે આવતા યુપી અને બિહારના નોકરી વાંચ્છુક વિદ્યાર્થીઓ હિંસક થયા હતા અને ઠેરઠેર રેલવેની સંપત્તિઓને નુકશાન પહોંચાડવા લાગ્યા હતા. કેન્દ્ર સરકારે આ પરીક્ષા રદ કરી નાખી છે તેમ છતાં પણ વિદ્યાર્થીઓએ બિહારના ગયામાં 3 કોચને આગ ચાંપી દીધી હતી.