પંજાબમાં કર્મીઓને સેલેરી મળતી હોવાના વિવાદ વચ્ચે આપ સરકારે કરી સ્પષ્ટતા.
પંજાબ સરકારની સ્પષ્ટતા
આજે જ તમામ કર્મીઑને મળી જશે પગાર
પૈસાની કોઈ પ્રકારની તંગી નથી
હાલમાં જ પંજાબમાં કર્મીઓના પગારને લઈને લાંબો વિવાદ ચાલી રહ્યો છે જેમાં આરોપ હતો કે સરકાર પાસે ખજાનો ખાલી થઈ ગયો છે જેના કારણે પગાર કરવાના પણ પૈસા નથી. આ મુદ્દે મીડિયામાં પણ અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી ત્યારે આખરે સરકારના નાણામંત્રી સામે આવ્યા છે.
પંજાબ સરકારના મંત્રીએ કહ્યું કે કોન્ટ્રાક્ટ પર જે કર્મીઑ છે તેમના પગારમાં એક પ્રક્રિયાના કારણે આ વખતે મોડું થયું છે. જોકે આજે તમામને પગાર આપી દેવામાં આવશે અને કોઈ જ સમસ્યા આવશે નહીં. સાથે સાથે તેમણે દાવો કર્યો હતો કે 18 હજાર નવા કર્મીઓને પણ લેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારના ખજાનામાં કોઈ જ પ્રકારની તંગી નથી અને પૈસાનો ફ્લો સતતને સતત ચાલુ જ છે.
નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી કિરન રિજીજુએ છઠ્ઠી સપ્ટેમ્બરે આપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે પંજાબ સરકાર પાસે કર્મીઓને સેલેરી આપવાના પણ પૈસા નથી જે બાદ સમગ્ર રાજ્યમાં આ સમાચાર ખૂબ જ તેજીથી ફેલાયા હતા. જોકે હવે સરકાર આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે.