US-કેનેડા બોર્ડર પર ગુજરાતી પરિવારના મૃત્યુનો મામલો કેનેડા પોલીસે ચારેય મૃતકો ગુજરાતના હોવાની પુષ્ટિ કરી છે.
US-કેનેડા બોર્ડર પર ગુજરાતી પરિવારના મૃત્યુનો મામલો
ચારેય મૃતક ગુજરાતના ડિંગુચા ગામના હોવાની થઈ પુષ્ટિ
કેનેડાની પોલીસે ચારેય મૃતકો અંગે પુષ્ટિ કરી
કેનેડા પોલીસે ચારેય મૃતકો અંગે પુષ્ટિ કરી
યુએસ-કેનેડા બોર્ડર પર ગત 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલાં એક બાળક સહિતની ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી છે. આ અંગેની માહિતી તેણે ભારતના હાઈ કમિશનને આપી છે.
#Gujarat
Statement issued by the Indian High Commission about The bodies were found at the Canada border on January 19 where 4 bodies of Gujarati family identified. pic.twitter.com/3kRT96qMr8
આ અંગે ભારતના હાઈકમિશને ગુરવારે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે. તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર-3) છે.હાલ પરિવારને જાણ કરાઇ-હાઈ કમિશન દ્વારા જણાવામાં આવ્યું છે
ગત 19 જાન્યુઆરીએ અમેરિકા-કેનેડાની બોર્ડર મૃતદેહો મળ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ગત 19 જાન્યુઆરીએ મોનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું હતું કે અમેરિકા-કેનેડાની બોર્ડર નજીક મોનિટોબાના ઈમરસન વિસ્તારમાંથી બે બાળક અને બે આધેડના મૃતદેહો મળ્યા આવ્યા છે. ગેરકાયદે રીતે કેનેડામાંથી અમેરિકામાં ઘૂસવા જઈ રહેલા આ ગુજરાતી પરિવારના સભ્યોની ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ થયું હતું. ઈન્ડિયાના હાઈકમિશને વધુમાં જણાવ્યું હતું કે કેનેડાની ઓથોરિટીઝે મૃતકોના મૃતદેહોની મેડિકલ તપાસ કરી હતી. અને એ તપાસમાં જણવા મળ્યું છે કે તમામ વ્યક્તિઓનાં મૃત્યુ ઠંડીમાં થીજી જવાને કારણે થયાં છે.
પરિવારની અંતિમવિધિ કેનેડામાં જ કરાશે
10 દિવસ અગાઉ US-કેનેડા બોર્ડર પર ગુજરાતના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ હતાં. ત્યારે આ ચારેય મૃતકોની અંતિમ વિધિ કેનેડામાં જ કરવામાં આવશે જે માટે અંતિમ વિધિ માટે મૃતકના મોટાભાઈ કેનેડા જવા માટે રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે ગત રોજ ભારતીય એમ્બેસીએ પરિવારના મૃત્યુની ખરાઈ કરી પુષ્ટિ કરવામાં આવ્યું હતું. કે તેઓ ગુજરાતના વતની હતાં.