હરિયાણાના પંચકૂલા સ્થિત રાષ્ટ્રીય તપાસ એજન્સીની સ્પેશિયલ કોર્ટે 2007ના સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને મુક્ત કરી દીધા છે. આ મામલે અસીમાનંદ, કમલ ચૌહાણ, રજિંદર ચૌધરી અને લોકેશ શર્માને મુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે 12 વર્ષ પહેલા થયેલા આ ટ્રેન બ્લાસ્ટમાં 68 યાત્રીઓના મોત થયા હતા. બુધવારે પંચકૂલા કોર્ટના નિર્ણય આવ્યા બાદ કોર્ટ પરિસરથી અસીમાનંદનો ફોટો સામે આવ્યો છે. જેમાં એ હાથ જોડીને લોકોને અભિવાદન કરતાં જોવા મળી રહ્યા છે.
18 ફેબ્રુઆરી 2007એ હરિયાણાના પાણીપતમાં દિલ્હીથી લાહોર જઇ રહેલી સમજોતા એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો. ચાંદની બાગ થાણા અંતર્ગત સિવાહ ગામના દીવાના સ્ટેશનની નજીક આ બ્લાસ્ટ થયો હતો, બ્લાસ્ટમાં 37 લોકોના મોત થયા હતા. 23 લોકોના મૃતદેહને ઓળખી શકાયા નહતા.
19 ફેબ્રુઆરી 2007એ દાખલ કરવામાં આવેલા એફઆઇઆરના પ્રમાણે રાતે 11:53 વાગ્યે દિલ્હીથી આશરે 80 કિલોમીટર દૂર પાણીપતના દિવાના રેલવે સ્ટેશનની પાસે ટ્રેનમાં બ્લાસ્ટ થયો.