કેન્દ્રીય નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોને એર ઈન્ડીયાના બાકી લેણા તરત ચુકવી દેવાનો નિર્દેશ આપ્યો છે.
એર ઈન્ડીયામાં ફ્રી યાત્રા પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે જારી કર્યો નવો આદેશ
મંત્રીઓ અને અધિકારીઓએ ટિકિટ લઈને યાત્રા કરવી પડશે
નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં એવું જણાવાયું કે એર ઈન્ડીયામાં ફ્રી યાત્રા પર હવે પ્રતિબંધ છે. મંત્રીઓ અને અધિકારીઓએ હવે રોકડમાં ટિકિટ ખરીદીને યાત્રા કરવી પડશે. અત્યાર સુધી તો એર ઈન્ડીયામાં મંત્રીઓ અને અધિકારીઓની ફ્રી યાત્રા માટે સરકાર પૈસા આપતી હતી પરંતુ હવે સરકારે આ સુવિધા બંધ કરી દીધી છે.
Finance Ministry directs all ministries & departments of Central Govt to clear dues of Air India & purchase tickets from the airline in cash; says Air India, in which Govt recently disinvested its stake, has stopped extending credit facility on account of air ticket purchase pic.twitter.com/bCMTVOG1zm
આ અંગે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા એક મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યું છે. આ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, "તાજેતરમાં ભારત સરકારે એર ઇન્ડિયાનું વિનિવેશ કરવાનો નિર્ણય લીધો છે." એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના વિનિવેશની પ્રક્રિયા આ પ્રક્રિયામાં છે.
એર ઇન્ડિયાએ એર ટિકિટની ખરીદી પર ક્રેડિટ સુવિધા આપવાનું બંધ કરી દીધું છે. તેથી, તમામ મંત્રાલયો/વિભાગોને એર ઇન્ડિયાની બાકી રકમ તાત્કાલિક સાફ કરવા નિર્દેશ આપવામાં આવે છે. એર ઇન્ડિયાની એર ટિકિટ વધુ સૂચના ઓ સુધી રોકડમાં ખરીદી શકાય છે.