અમદાવાદ / કોરોના વાયરસને લઇ કર્ણાવતી ક્લબમાં તમામ એક્ટિવીટી કરાઈ બંધ

કોરોના વાયરસને લઇ કર્ણાવતી ક્લબ બંધ કરી દેવાયો છે. કર્ણાવતી ક્લબમાં તમામ એક્ટિવીટી બંધ કરી દેવાઇ છે. અને લોકોના એકઠા થવા પર પણ રોક લગાવી દેવાઇ છે. આ અંગે ક્લબના તમામ મેમ્બર્સને જાણ કરી દેવાઇ છે. સાવચેતીને લઇ કર્ણાવતી ક્લબ દ્વારા સ્વિમિંગ પુલ, જીમ સહિતની એક્ટિવિટી બંધ કરી દેવાઇ છે. અને ક્લબની સાફ સફાઇ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ