સ્થાનિક કોર્ટે 7 આરોપીઓના 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર રાખ્યા હોવાથી પોલીસે હવે 8 જુલાઈએ તેમને મુંબઈની એનઆઈએ કોર્ટમાં રજૂ કરશે જ્યાં એનઆઈએ આરોપીઓને ફરી કસ્ટડી લેશે.
શું છે ટ્રાન્ઝિટ રિમાન્ડ
ટ્રાન્ઝિટ રિમાન્ડ એટલે સ્થાનિક કોર્ટની મંજૂરી લઈને આરોપીઓનું પ્રત્યર્પણ કરવું એક શહેરમાંથી બીજા શહેરમાં કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આરોપીઓને ખસેડવાનો કોર્ટનો ઓર્ડર. ઉમેશ કોલ્હે હત્યાકાંડની એનઆઈએ તપાસ કરી રહી હોવાથી હવે સ્થાનિક પોલીસે આરોપીઓને એનઆઈએને સોંપશે અને 8 જુલાઈએ એનઆઈએ કોર્ટમાં રજૂ કરશે.
ઉમેશ કોલ્હે હત્યાકાંડમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ
ઉમેશ કોલ્હે હત્યાકાંડમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે શૈખ ઈરફાનને રવિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો અને જ્યાં તેની કસ્ટડી માગવામાં આવી હતી કોર્ટે ચાર દિવસ તેની કસ્ટડી મંજૂર રાખી હતી અને પોલીસને સોંપી દીધો હતો.
ઉમેશ હત્યાકાંડની તપાસનિસ એજન્સી એનઆઈએ ચીફ અમિત શાહને મળ્યાં
ઉદયપુર અને અમરાવતી હત્યાકાંડને લઈને કંઈ મોટું થવાની તૈયારી ચાલી રહી છે. ઉમેશ અને કન્હૈયાલાલ હત્યાકાંડની તપાસ કરી રહેલી એનઆઈએ હવે કંઈ મોટુ કરવાની તૈયારીમાં હોય તેવુ લાગી રહ્યું છે. એનઆઈએ ચીફ દિનકર ગુપ્તા દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતા.
NIA chief meets Amit Shah amid agency's probe in 'barbaric' killings in Udaipur, Amravati
અમરાવતી હત્યા કેસમાં એક મોટો ખુલાસો
અમરાવતી હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. હવે મળેલી તાજેતરની વિગતો મુજબ જોઈએ તો, મૃતક ઉમેશ કોલ્હેના હત્યાકાંડમાં તેનો જ મિત્ર સામેલ હોવાનું સામે આવ્યું છે. જેનું નામ ડોક્ટર યુસુફ ખાન છે. કહેવાય છે કે, કોઈને પણ શંકા ન થાય એટલા માટે યુસુફ ઉમેશના અંતિમ સંસ્કારમાં પણ જોડાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ડોક્ટર યુસુફ ખાન અને ઉમેશ કોલ્હેની દોસ્તી 10 વર્ષ કરતા પણ જૂની હતી. યુસુફ ખાન કેટલીય વાર ઉમેશ પાસેથી ક્રેડિટ પર દવાઓ પણ લેતો હતો. હકીકતમાં યુસુફ ખાન પણ બ્લેક ફ્રીડમ નામના વોટ્સએપ ગ્રુપનો સભ્ય છે. આ જ ગ્રુપમાં ઉમેશે નૂપુર શર્માને સમર્થન આપતી પોસ્ટ ફોરવર્ડ કરી હતી, જે બાદ તેની પોસ્ટ યુસુફ ખાન રહબરિયા ગ્રુપમાં મોકલી, જે ગ્રુપમાં હત્યારા અને માસ્ટરમાઈન્ડ ઈરફાન શેખ છે. ત્યાર બાદ ઈરફાનને ગુસ્સો આવ્યો અને તેને 16 જૂને એક મીટિંગ લીધી, જે મીટિંગમાં ઉમેશને મારવાની વાત નક્કી થઈ.