આંધ્રપ્રદેશના તમામ 24 મંત્રીઓએ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીને તેમના રાજીનામા સોપ્યા છે.
આંધ્ર પ્રદેશના નવા મંત્રી મંડળનું ગઠન
14 નવા ચેહરાઓને મળ્યું સ્થાન
આગામી ચૂંટણીને લઈને કરાયો બદલાવ
આંધ્ર પ્રદેશના રાજકારણની નવા-જૂની !
આંધ્ર પ્રદેશમાં આવનારી 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી જગમોહન રેડ્ડીએ આંધ્ર સરકારની કેબિનેટમાં મોટા ફેરફાર કર્યા છે. ગુજરાતમાં જેમ આખે આખી સરકાર બદલાઈ ગઈ છે. એમ આંધ્ર પ્રદેશમાં પણ કંઈ એવું જ થયું છે. અહીં ફર્ક ખાલી એટલો જ કે મુખ્યમંત્રી નથી બદલાયા.
જૂના મંત્રી મંડળમાંથી 11 મંત્રીઓને ફરી સ્થાન મળ્યું
આંધ્ર પ્રદેશ સરકારના તમામ 24 મંત્રીઓએ એક સાથે રાજીનામા ધરી દીધા હતાં.અને તેમના સ્થાને 14 નવા મંત્રીઓની નિયુક્તી કરવામાં આવી છે.અને જૂની કેબિનેટના 11 મંત્રીઓને ફરી મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.સંભવતા આ તમામ નવા મંત્રીઓ આજે સવારે 11 વાગે શપથ લઈને કાર્યભાર સંભાળી શકે છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગણતરી શરૂ કરાઈ
આંધ્ર પ્રદેશનું નવું મંત્રી મંડળ એટલા માટે ચર્ચામાં છે કારણ કે મુખ્યમંત્રી જગમોહન રેડ્ડી પાંચ નવા નાયબ મુખ્યમંત્રીઓ બનાવ્યા છે.નવા મંત્રી મંડળને આગામી ચૂંટણીના જાતિય સમિકરણો સાથે પણ જોડવામાં આવી રહ્યા છે.