પંચમહાલના દેલોલ કેસમાં તમામ 19 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે, હાલોલ સેશન્સ કોર્ટે તમામ 19 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે
પંચમહાલના દેલોલ કેસમાં તમામ 19 આરોપીઓ નિર્દોષ
હાલોલ સેશન્સ કોર્ટે તમામ 19 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
2003માં કાલોલ પોલીસ મથકે રાયોટિંગ, હત્યાની ફરિયાદ થઈ હતી
2002ના ગુજરાત રમખાણો દરમિયાન પંચમહાલમાં દેલોલ હત્યાકાંડ થયો હતો જેમાં 6 લોકોની હત્યા કરવામાં આવી હતી. તે કેસમાં 19 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તે 19 લોકોને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જેમાંથી કેટલાક લોકો તો એવા છે જેમના મૃત્યુ થયા છે. આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
19 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે
પંચમહાલના દેલોલ કેસમાં તમામ 19 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. હાલોલ સેશન્સ કોર્ટે તમામ 19 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને 2003માં કાલોલ પોલીસ મથકે રાયોટિંગ, હત્યાની ફરિયાદ થઈ હતી. ટ્રેન હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોની ઘટના મુદ્દે 19 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. હાલોલ એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચોથા એડિશનલ જજ સમક્ષ કેસ ચાલી રહ્યો હતો. ફરિયાદમાં ટાંકવામાં આવેલા મુદ્દા પુરવાર નહીં થતા કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા હતા
સમગ્ર કેસની સુનાવણી દરમિયાન પાંચ આરોપીઓના અવસાન પણ થઈ ચૂક્યા છે. ફરિયાદ નોંધાયા બાદથી તમામ આરોપીઓ જામીન મુક્ત હતા. વર્ષ 2002માં જ્યારે ગુજરાતમાં રમખાણો થયા હતા ત્યારે દેલોલમાં ટોળાએ 6 લોકોની હત્યા કરી હતી. ત્યારબાદ પોલીસે ચાર્જશીટમાં કુલ 19 લોકોને આરોપી બનાવ્યા હતા. આ આરોપીઓ ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા હતાં. પરંતુ હવે 18 વર્ષ બાદ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે.