બિહારમાં હાલમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક જીવિત મહિલાને કાગળ ઉપર મૃત જાહેર કરાઈ હતી. હવે આ વૃદ્ધ મહિલા પોતાના જીવિત હોવાનું સબૂત આપવા મજબૂર બની છે. આ વાતની જાણ મહિલાને પણ ત્યારે થઈ હતી જ્યારે કોરોના સંકટના કારણે તે પોતાના જનધન ખાતામાંથી રૂપિયા કાઢવા બેંક પહોંચી હતી. બેંકે કહ્યું તમે તો મૃત્યુ પામી ચૂક્યા છો.
કોરોના સંકટમાં બની આ ઘટના
જનધન ખાતામાંથી રૂપિયા કાઢવા પહોંચી મહિલા
બેંકે કહ્યું તમે તો મૃત્યુ પામી ચૂક્યા છો
તમે તો મરી ચૂક્યા છો, તમારા ખાતાથી રૂપિયા કેવી રીતે આપીએ. હા આ શબ્દો સાંભળવામાં અઘરા લાગે એવા છે. પણ સાચા છે. બિહારના છાપરા જિલ્લામાં આવી એક ઘટના બની છે. અહીના બનિયાપુરના ટોલા ગામમાં એક મહિલાની સાથે આવું બન્યુ છે. આ વૃદ્ધ મહિલા ચાનોદેવી જ્યારે જનધન ખાતામાંથી રૂપિયા કાઢવા પહોંચી તો તેને કંઈક આવો જવાબ મળ્યો. હવે પહેલાં તો તેઓએ એ સબૂત આપવાનું છે કે તે જીવિત છે.
તમે મરી ચૂકયા છો, તમારું ખાતું બંધ કરી દેવાયું છે
સોમવાર સવારે ચાનોદેવીને રૂપિયાની જરૂર પડી. ત્યારે તેમને સમાચાર મળ્યા કે ગ્રામીણ બેંકના સીએસપી પર કોરોના દરમિયાન સામાજિક સુરક્ષા યોજનાના આધારે લોકોને રૂપિયા મળી રહ્યા છે. સીએસપી સંચાલકથી તેમને ખ્યાલ આવ્યો કે તેમનું ખાતું બંધ કરી દેવાયું છે.જ્યારે મહિલાએ કારણ પૂછ્યું તો કહેવામાં આવ્યું કે તમે તો મરી ચૂક્યા છો. માટે તમારું ખાતું બંધ કરી દેવાયું છે.
આ રીતે જીવિત મહિલાને જાહેર કરાઈ મૃત
હાલમાં ચાનોદેવી ખૂબ પરેશાન છે. તેને સમજ નથી પડી રહી કે આવું કેવી રીતે થયું. એક તો લૉકડાઉન, સાથે રૂપિયાની અછત અને પછી પોતાને જીવિત સાબિત કરવા માટે રૂપિયા લાવવાની કોશિશ કરવી. જ્યારે ચાનોદેવીએ બેંકને પૂછ્યું કે કોણે કહ્યું કે તે મરી ચૂકી છે.ત્યારે બેંકે જવાબ આપ્યો કે ગામની મહિલા સરપંચ પૂનમ દેવીએ તેમના મૃત્યુનું પ્રમાણપત્ર આપ્યું હતું. જેમાં તેઓએ લખ્યું હતું કે ચાનોનું મૃત્યુ 9 ઓક્ટોબર 2019માં થયું છે.
ચાનોને મૃત બતાવનારા પત્ર પર છે સરપંચના દીકરાના હસ્તાક્ષર
નવાઈની વાત તો એ છે કે લેટર પર સાઈન સરપંચ પૂનમ દેવીના નહીં પણ તેના દીકરાના છે. લેટર હેડ પર દીકરાના હસ્તાક્ષરથી પ્રશ્ન એ થાય કે એક જનપ્રતિનિધિની જગ્યા તેમનો દીકરો કઈ રીતે લઈ શકે.