ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં શનિવાર બપોરે શાળાએથી પરત ફરી રહેલા બાળકો માથે નિર્માણાધીન ઘરની દિવાલ પડતા બે બાળકોના મોત થઈ ગયા છે. જ્યારે પાંચથી વધારે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અલીગઢમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી
શાળાએ પરત ફરી રહેલા બાળકો માથે પડી દિવાલ
બે બાળકોના મોત, ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકોને હોસ્પિટલ લઈ જવાયા
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં શનિવાર બપોરે મોટી દુર્ઘટના ઘટી ગઈ. વરસાદના કારણે હુસૈનપુર શહજાદપુર વિસ્તારમાં નિર્માણાધીન મકાની દિવાલ પડી જવાથી સાત બાળકો દબાવી ગયા હતા. આ દુર્ઘટનામાં બે બાળકોના મોત પણ થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સીએચસી છર્રામાં ભરતી કરવામાં આવ્યા છે.
જિલ્લાના દાદો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. અહીં હુસૈનપુર શહઝાદપુરમાં એક મકાન બની રહ્યું છે. તેની નજીકમાં શાળામાંથી ભણીને ઘરે જઈ રહેલા બાળકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક નિર્માણાધીન મકાનની દિવાલ ધડામ દઈને પડી. કોઈ કંઈ સમજે ત્યાં સુધીમાં તો 7 બાળકો દટાઈ ગયા હતા.
दोपहर 2-3 बजे गांव हुसैनपुर शहजादपुर से सूचना प्राप्त हुई कि बारिश के कारण नवनिर्मित दीवार ढहने से 6 बच्चे दब गए हैं। जिनमें से 2 बच्चों की मृत्यु हो गई। बाकी बच्चों का इलाज अस्पताल में कराया जा रहा है। मामले में विधिक कार्रवाई की जा रही है: पलाश बंसल एसपी ग्रामीण, अलीगढ़(29.07) pic.twitter.com/O4IqEfCPYQ
આ જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક કાટમાળ હટાવાનનું કામ શરુ કરી દીધું હતું. પોલીસ પ્રશાસનને પણ સૂચના આપી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ અને ગામલોકોએ મળીને જેસીબીની મદદથી બાળકોને બહાર કાઢ્યા હતા. જો કે, ત્યાં સુધીમાં બે બાળકોના મોત થઈ ચુક્યા હતા. તો વળી આ ઘટનામાં પાંચ બાળકો ઘાયલ પણ થયા છે. જેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલમાં ઘાયલ બાળકોની હાલત પણ ગંભીર હોવાનુ કહેવાય છે.