તાલિબાનના પ્રમુખ નેતા ગણાતા શેર મહોમ્મદે એવું નિવેદન આપ્યું છે કે તેઓ ભારત સાથે પહેલા જેવાજ રાજનૈતિક અને વ્યાપારિક સંબંધો રાખવા માગે છે જેના કારણે પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.
તાલિબાન નેતાએ ભારત સાથેના સંબંઘોને લઈને આપ્યું મોટું નિવેદન
ભારત સાથે તાલિબાન પહેલા જેવાજ સંબંઘો રાખવા માગે છે
તાલિબાનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી માહિતી
તાલિબાનના નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકજઈએ એવું નિવેદન આપ્યું કે છે કે તેઓ ભારત સાથે અફઘાનિસ્તાનના રાજનૈતિક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પહેલાની જેમ રાખવા માગે છે. આ પહેલા વખત એવું બન્યું કે તાલિબાનના કોઈ નેતાએ કાબુલ પર કબ્જો મેળવ્યા બાદ તેઓ ભારત સાથે કેવા સંબંધ રાખવા માગે છે. તે સીધા અર્થમાં કહ્યું.
46 મીનિટનો વીડિયો કર્યો અપલોડ
સ્તાનિકજઈએ તાલિબાનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શનિવારે 46 મીનિટનો વીડિયો અપલોડ કર્યો હતો. જેમા તેમણે અત્યાર સુધીમાં તાલિબાન પર જે કબ્જો મેળવ્યો તે અને અફઘાનિસ્તાનમાં શરિયા આધારિત ઈસ્લામિક શાસનને લઈને તેમની યોજનાઓ વિગતવાર જણાવી.
વ્યાપારિક સંબંધો પહેલા જેવા રાખવાની ઈચ્છા
ખાસ કરીને આ વીડિયોમાં સ્તાનિકજઈએ ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા સાથેના સંબંઘો લઈને ચર્ચા કરી. તેઓ તાલિબાનને પહેલા નેતાએ છે કે જેમણે બધા દેશો સાથે સંબંધોને લઈને ચર્ચા કરી છે. ભાર વીશે તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાન માટે ઘણો મહત્વનો દેશ છે. ભારતની સાથે તેઓ સાસ્કૃતિક, આર્થિક અને વ્યાપારિક સંબંધો પહેલા જેવા રાખવા માગે છે.
પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો
પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવતા તેમણે કહ્યું કે પાકિસ્તાન થઈને ભારત સાથેનો તેમનો વેરાક ઘણો મહત્વનો છે. સાથેજ તેમણે કહ્યું કે ભારત સાથે હવાઈ માર્ગે પણ વેપાર યથાવત રહેશે. પાકિસ્તાન અફઘાનિસ્તાનના વેપારીઓને તેમનો સામન મોકલવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ભારતનો સામા ન પાકિસ્તાન તેના રસ્તેથી નથી જવા દેતું.
ઈન્ડિયન મિલટ્રે એકડમીમાં લીધી છે ટ્રેનિંગ
સમગ્ર મામલે તાલિબાની નેતાએ કહ્યું કે તેઓ ભારત સાથે રાજનૈતિક આર્થીક અને વ્પાયારિક સંબંધોનું મહત્વ જાણે છે. આપને જણાવી દઈએ કે તાલિબાનના ટોપ 2 થી 3 નેતાઓમાં શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકજઈ પણ આવે છે. તેમનું ભારત સાથે પણ મોટું કનેકશન છે જેમા તેઓ 1980માં ઈન્ડિયન મિલેટ્રી એકડમીમાં ટ્રેનિંગ લઈ ચુક્યા છે.