બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અત્યારે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. તે એક પછી એક પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. આનાથી તેના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ છે. અત્યારે આલિયા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ કરી રહી છે, પરંતુ કામના પ્રેશરને કારણે તેની તબિયત ખરાબ થઈ ગઈ અને આવી સ્થિતિમાં તેને 17 જાન્યુઆરીએ સર એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવી પડી.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અત્યારે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે
તે એક પછી એક પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે
કામના પ્રેશરને કારણે સ્વાસ્થ્ય પર પણ અસર થઈ છે
પીપિંગ મૂન મુજબ, આલિયાને એ જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થયા પછી તે સોમવારે સવારે એટલે કે 18 જાન્યુઆરીની સવારે ગંગુબાઈ કાઠિયાવાડીના સેટ પર પહોંચી અને શૂટિંગ શરૂ કર્યું. જોકે, આલિયાને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે ફિલ્મની ટીમ દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી વિવાદોમાં આવી છે. ગંગુબાઈના દિકરાનું કહેવું છે કે ઝૈદીના પુસ્તકના કેટલાક ભાગો તેમની ગુપ્તતાનું ઉલ્લંઘન કરીને બદનામ કરી રહ્યાં છે. તેથી, તે ઈચ્છે છે કે ફિલ્મનું શૂટિંગ બંધ થાય. આ સાથે જ ગંગુબાઈ કાઠિયાવાડીના પરિવારે પણ આ ફિલ્મ અંગે કેસ દાખલ કર્યો છે.
આલિયા ભટ્ટની ફિલ્મ 11 સપ્ટેમ્બર 2020એ થિયેટરોમાં રિલીઝ થવાની હતી. જોકે, કોરોના વાયરસને કારણે ફિલ્મનું શૂટિંગ સમયસર પૂર્ણ થઈ શક્યું નથી. હવે ચર્ચા છે કે નિર્માતાઓ આ ફિલ્મ દિવાળી પર રિલીઝ કરવાનું વિચારી રહ્યાં છે. આ ફિલ્મ ઉપરાંત આલિયા ભટ્ટ અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર' અને 'બાહુબલી' ફેમ ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની આગામી ફિલ્મ આરઆરઆરમાં પણ જોવા મળશે.