બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફેરના સમાચાર હાલ તમામ બી ટાઉનમાં ચર્ચાનો વિષય છે. બંનેએ હવે પોતાના સંબંઘને સત્તાવાર સ્વીકાર પણ કરી લીધો છે.
બંને એક સાથે ઘણી જગ્યાએ જોવા મળ્યા
છે. આલિયા રણબીરની સાથે પોતાના રિલેશનને લઇને ખૂબ સીરિયસ છે. આલિયાનું માનવું છે કે એ રણબીર કપૂરની એક્સ કેટરીના કેફ વાળી ભૂલ પોતાના રિલેશનમાં નહીં કરે.
એક રિપોર્ટ અનુસાર આલિયાએ પ્લાન બનાવ્યો છે કે એ પોતાનો વધારેમાં વધારે સમય રણબીર સાથે સ્પેન્ડ કરાવ ઇચ્છે છે. રણબીરને સમય આપવા માટે આલિયા કંઇ પણ કરવા તૈયાર છે. કંઇક આવો જ હાલ કેટરીના કેફનો પણ થયો હતો જ્યારે રણબીર સાથે એ રિલેશનમાં હતી. જણાવી દઇએ કે જ્યારે કેટરીના કેફ રણબીરની સાથે રિલેશનશીપમાં હતી. એ દરમિયાન એને પોતાના સંબંધથી વધારે પોતાના કરિયર પર ફોકસ કર્યું. સૂત્રોનું માનીએ તો બંને વચ્ચે બ્રેકઅપનું કારણ આ જ હતું.
જણાવી દઇએ કે થોડા ક દિવસો અગાઉ આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટે એક મીડિયા સામે વાતચીત કરતા જણાવ્યું હતું કે હા સાચું છે કે બંને પ્રેમમાં છે. પરંતુ એમાં કન્ફર્મ કરવા જેવું કંઇ નથી. તો થોડાક મહિના પહેલા રણબીરને આલિયાના ઘરની બાલ્કીનામાં જોવા મળ્યો હતો.