બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છેલ્લાં લાંબા સમયથી રિલેશનશિપમાં છે, પ્રશંસકો તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આલિયાએ રણબીર સાથે પહેલાં જ લગ્ન કરી લીધા છે અને આ વાત અમે નહીં પરંતુ આલિયા ભટ્ટે જ કહી છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. તેમના નવા ઘરની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમ્યાન ક્યારેક તેમના વેડિંગ લોકેશનને લઇને ચર્ચા થાય છે તો ક્યારેક લગ્નમાં કયા-કયા મહેમાનો સામેલ થશે. આ અહેવાલ ફક્ત ચર્ચા બની જાય છે, પરંતુ હવે આલિયાએ જાતે રણબીર સાથે લગ્નની વાત કહી છે. તેણે કહ્યું કે તે પોતાનો ડ્રીમ બોય પસંદ કરી ચૂકી છે. પરંતુ જે ફેક લગ્નના કાર્ડ છપાય છે, તે બંધ થઇ જાય.
હાલના ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે ગયા વર્ષે રણબીર કપૂરે કહ્યું હતુ કે જો કોરોના ના હોય તો તમારા બંનેના લગ્ન થઇ ગયા હોત. શું તમે લગ્ન માટે તૈયાર છો અને અમે આ વર્ષે લગ્ન જોઇ શકીશુ? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, હું આ વાતથી અસહમત નથી. હું મારા સપનાના રાજકુમારને મળી ચૂકી છુ તો જ્યારે લગ્ન થશે ત્યારે યોગ્ય સમયે થઇ જશે.