રિપોર્ટ્સ અનુસાર લગ્નની તૈયારીઓ થઈ રહી છે અને આજ વર્ષે આ રણબીર-આલિયા સાત ફેરા લઈને સાત જન્મોના બંધનમાં બંધાઈ જશે.
લગ્નની તૈયારીઓ શરૂ
રણબીર-આલીયા કરવા જઈ રહ્યા છે લગ્ન
આ વર્ષે જ કપલ કરશે લગ્ન
બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાછલા ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે તે વર્ષ 2022માં આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે. જાણકારી અનુસાર લગ્નની તૈયારીઓ થઈ રહી છે અને આજ વર્ષે આ કપલ સાત ફેરા લઈને સાત જન્મોના બંધનમાં બંધાઈ જશે.
આ પહેલા ખબર આવી હતી કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિસેમ્બર 2021માં લગ્નમાં લગ્નના બંધનમાં બંધાવવાના છે. જોકે બાદમાં જાણકારી મળી કે અમુક વસ્તુઓને ધ્યાનમાં રાખતા લગ્ન પોસ્ટપોન કરી દીધું છે.
રણબીર-આલિયાના લગ્નને લઈને એક્સાઈટેડ ફેન્સ
હવે એક ખબર અનુસાર રણબીર અને આલિયા એપ્રિલમાં લગ્ન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર કપૂર અને ભટ્ટ પરિવારે લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આલિયા-રણબીર રણથમ્ભૌરમાં લગ્ન કરશે કારણ કે બન્ને સૌથી વધારે અહીં જ વેકેશન પર જાય છે અને આ તેમની ફેવરેટ જગ્યા છે.
મહત્વનું છે કે રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કેફે પણ રણથમ્ભૌરમાં જ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન સવાઈ માઘૌપુરના Six Senses resort Fort Barwaraમાં થયા હતા. જોકે એક રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે કપલે ડેસ્ટિનેશન વેડિંગની જગ્યાએ વેકેશન વેડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈમાં લગ્ન કરશે આલિયા-રણબીર
આ રિપોર્ટ્સ અનુસાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈમાં જ લગ્ન કરશે. પોતાના પરિવાર અને અમુક નજીકના મિત્રોની હાજરીમાં કપલ લગ્ન કરશે. ખબર અનુસાર રણબીર કપીર અને આલિયા ભટ્ટે એક આલીશાન લગ્ન કરવાની જગ્યા પર અમુક નજીકના લોકોની હાજરીમાં ઈનમોશન્સના હિસાબથી સ્પેશિયલ બનાવવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બન્ને પોતાના અંગત જીવનને લઈને ખૂબ રિઝર્વ છે.