અભિનેત્રી આલિયા ભટ્ટની એક નવી એડ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ ગઈ છે.
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ પોતાની નવી જાહેરાત માટે ભારે ચર્ચામાં છે. તેમની નવી જાહેરાત કન્યાદાન ટ્વિટર પર ચર્ચામાં છે. આ જાહેરાતમાં, આલિયા એક દુલ્હન તરીકે સજ્જ જોવા મળે છે અને કન્યાદાનની વર્ષો જૂની પરંપરા પર સવાલ ઉઠાવતી જોવા મળે છે, જેમાં એક પિતા પોતાની પુત્રીને લગ્નમાં કન્યાદાન કરે છે છે.
જાહેરાતમાં દેખાડવામાં આવ્યું છે તેમ, આલિયા, તેના ભાવિ પતિ સાથે મંડપમાં બેઠેલી છે, એ યાદ કરે છે કે કેવી રીતે તેના પરિવારે તેને સમજાવ્યું કે તેને એક દિવસ ઘરે જવું પડશે. જેમાં તેણી વિચારે છે કે શું હું દાનમાં આપવાની વસ્તુ છું? માત્ર કન્યાદાન જ કેમ? હવે નવો આઇડિયા ''કન્યામાન'' પર વિશ્વાસ કરવાનો છે.
@Manyavar_ what is this advertisement? To your surprise, No, Kanyadaan doesn't mean that a girl is a commodity and can be given away. Hindu rituals are so easy for you people to point fingers at. If you want to know about the piousness of Kanyadaan, this thread is for you. pic.twitter.com/Lv2tp0TNTh
સોશ્યલ મીડીયા પર ખૂબ ચર્ચા
આલિયાની લેટેસ્ટ એડની સોશ્યલ મીડીયા પર ખૂબ ચર્ચા થઈ હતી. પ્રશંસકોએ આ એડના વખાણ પણ કર્યા હતા જ્યારે કેટલાક લોકોએ કોમેન્ટમાં જ લખ્યું હતું કે આલિયા જે બોલી છે તે સાચું છે અને આ એક સુંદર એડ છે.
બસ બહુ થયું હવે: યુઝર
એક યુઝરે લખ્યું હતું કે, 'પહેલા તે હિન્દુ તહેવાર અને હવે તે આપણા રીતરિવાજો અને પ્રથાઓ છે જે પ્રચાર, સસ્તા પીઆર અને જાહેરાતોનું લક્ષ્ય છે. બસ બહુ થયું હવે'. અન્ય એક યુઝરે લખ્યું, 'જે ઇન્ડસ્ટ્રી મહિલાઓને તેની ફિલ્મો, વેબ સિરીઝ અને રિયાલિટી શોમાં વાંધો ઉઠાવે છે તે' કન્યામાન 'વિશે ઉપદેશ આપે છે, હું ઈચ્છું છું કે મહિલાઓ જે ઉપદેશ આપે તે પ્રેક્ટિસ કરે. આપમેળે રીસપેક્ટ મળશે',