આલિયા ભટ્ટ પોતાની ફિલ્મને લઈને લોકોનો ઉત્સાહ જોઈ સિનેમા હોલ પહોંચી ગઈ. પછી જે થયું તે તેના ફેંસની કલ્પના બહારનું હતું.
ફેંસને મળ્યું સરપ્રાઈઝ
શું આ ટ્રોલ કરવાવાળાઓને જવાબ હતો?
આલિયાએ આપ્યું ગીતા જ્ઞાન
ફેંસને મળ્યું સરપ્રાઈઝ
ફેંસની આટલી ઉત્સુકતા જોઇને આલિયાથી ફેંસ સાથે વાત કરતા રહેવાયું નહિ. આલિયાએ પોતાના ફેંસને ધન્યવાદ કહેવાનો નિર્ણય લીધો હતો. આલિયા ભટ્ટ કારની છતથી બહાર આવી તથા તેમણે પબ્લિક રિએક્શન સ્વીકાર કર્યું. આલિયાએ ગંગૂબાઈનું આઈકોનિક નમસ્કાર કર્યું તથા ફિલ્મનો ડાયલોગ, 'ઈજ્જત સે જીને કા....કિસીસે ડરને કા નહી' બોલીને લોકોનો જોશ વધાર્યો.
શું આ ટ્રોલ કરવાવાળાઓને જવાબ હતો?
એક પ્રકારે આ આલિયાનું ડાયલોગ બોલવું, તેમના ટ્રોલર્સ તથા હેટ કરનારને જવાબ હતો, જે તેને નીચું બતાવવાની કોશિશ કરે છે. ટ્રોલર્સની વાત કરીએ તો એક્ટ્રેસ કંગના રનૌતે પણ ઘણી વખત 'હાઈ વે' એક્ટ્રેસને ટારગેટ કરી છે.
કંગનાએ કહ્યું હતું 'પાપા કી પરી'
ગયા અઠવાડિયે સીધું આલિયાનું નામ લીધા વગર કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આલિયાને 'પાપા કી પરી' કહ્યું, જેમાં લખ્યું હતું કે આ શુક્રવારે, બોક્સ ઓફિસ પર 20૦ન કરોડ બળીને રાખ થઇ જશે.....ફિલ્મની સૌથી મોટી અછત ખોટું કાસ્ટિંગ છે.....યે નહી સુધરેંગે કોઈ આશ્ચર્ય નથી કે સ્ક્રીન સાઉથ તથા હોલીવુડ તરફ જઈ રહી છે....બોલિવુડની કિસ્મતમાં છે કયામત જ્યાં સુધી ફિલ્મ માફિયા પાસે છે તાકાત.
આલિયાએ આપ્યું ગીતા જ્ઞાન
આલિયા ભટ્ટ કોલકાતામાં પોતાની ફિલ્મના ગીત 'મેરી જાન' ના લોન્ચ પર મોજુદ હતી. અહી કંગના રનૌત દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી વિષે પૂછવા પર આલિયાએ ભગવત ગીતાના એક શ્લોક સાથે જવાબ આપ્યો. આલિયા ભટ્ટે કહ્યું કે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું હું કે કઈ ન કરવું પણ ઘણું કર્યા બરાબર છે. બસ હું આ જ કહેવા માંગુ છું.
મુંબઈની માફિયા ક્વીન પર આધારિત
'ગંગૂબાઈ કાઠિયાવાડી' મુંબઈ માફિયાની ક્વીન તરીકે ઓળખાવાવળી ગંગૂબાઈ પર આધારિત છે, જેમને તેમના જ પતિએ કોઠા પર વહેંચી દીધી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ, વિજય રાજ, જીમ સાર્ભ, શાંતનુ મહેશ્વરી જેવા સ્ટાર્સ છે.