આલિયા ભટ્ટ વિરૂદ્ધ BMC એફઆઈઆર નોંધવા જઈ રહી છે. આલિયા પર ક્વોરન્ટાઈન નિયમોને તોડવાના આરોપ છે.
આલિયા વિરૂદ્ધ BMC લઈ શકે છે એક્શન
આલિયા ભંગ કર્યા નિયમો
નોંધાઈ શકે છે FIR
આલિયા ભટ્ટ હમણાં જ દિલ્હી ગઈ હતી. ત્યાં તે પોતાની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના (Brahmastra Motion Poster) પ્રમોશન માટે રણબીર કપૂર અને ડાયરેક્ટર અયાન મુખર્જીની સાથે અહીં પહોંચી હતી. તે એક ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી ગઈ હતી. તે સમયે કોવિડ-19 નિયમોનું ઉલ્લંધન કરવાને લઈને તેના પર આરોપ લાગ્યા છે.
આલિયા ફિલ્મમેકર કરણ જોહરની પાર્ટીમાં શામેલ થઈ હતી. આ પાર્ટીમાં શામેલ થનાર 4 ગેસ્ટ મહીપ કપૂર, સીમા ખાન, કરીના કપૂર ખાન અને અમૃતા અરોડા કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ બીએમસીએ આલિયાને ક્વોરન્ટાઈન રહેવાના નિર્દેશ આપ્યા હતા.
'બ્રહ્માસ્ત્ર'ના પોસ્ટર લોન્ચ ઈવેન્ટમાં પહોંચી આલિયા
આલિયા ભટ્ટે આ નિર્દેશોને ન માન્યા અને તે દિલ્હી ગઈ હતી. દિલ્હી આવ્યા બાદ તે સૌથી પહેલા ગુરૂદ્વારા બંગલા સાહિબ પહોંચી હતી. ત્યાર બાદ તે 'બ્રહ્માસ્ત્ર'ના પોસ્ટર લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી. હવે બીએમસીએ આલિયાના આ વહેવાર પર પેન્ડેમિક એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરવાની તૈયારી કરી છે. આલિયાએ હોમ ક્વોરન્ટાઈન નિયમોનો ભંગ કર્યો છે. બીએમસીએ તેના વિરૂદ્ધ એફ આઈ આર દાખલ કરવાના આદેશ આપ્યા છે.
જોકે કરીના કપૂર, મહીપ કપૂર, સીમા ખાન અને અમૃતા અરોડાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આલિયા ભટ્ટે પોતાનો કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ બીએમસીએ તેને 14 દિવસ માટે ઘરમાં ક્વોરન્ટાઈન રહેવા માટે કહ્યું હતું. તેમ છતાં તે બ્રહ્માસ્ત્રના મોશન પોસ્ટર લોન્ત માટે ચાર્ટડ પ્લેનથી દિલ્હી પહોંચી હતી.
BMCએ FIR દાખલ કરવાના આદેશ આપ્યા
BMC આ મામલાની તપાસ કરી રહી છે. કોરોનાના નિયમોનું ઉલ્લંધન કરવાની પુષ્ટિ થયા બાદ જ આલિયા વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, બીએમસી જન સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ રાજુલ પટેલે કહ્યું, "મેં સ્વાસ્થ્ય વિભાગને આલિયા ભટ્ટ વિરૂદ્ધ હોમ હાઈસોલેશન નિયમોનું ઉલ્લંધન કરવા માટે એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે. તે એક રોલ મોડલ છે. માટે તેમણે જવાબદારીથી વહેવાર કરવો જોઈએ. નિયમ બધા માટે એક સમાન છે. "