પાછલા ઘણા સમયથી રણબીર અને આલિયાની બીટાઉનમાં ચર્ચા થઈ રહી છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે તેવી પણ વાતો થઈ રહી હતી. જોકે બંનેએ પોતાની રિલેશનશીપની ખબરો પર મૌન બનાવી રાખ્યું હતું. પરંતુ હવે આલિયાએ રણબીર સાથે પોતાના સંબંધની અફવા પર મૌન તોડ્યું છે. આલિયા અને રણબીર હાલમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરી રહ્યા છે. એક ન્યૂઝ પેપર સાથે વાતચીતમાં ઈન્ટરવ્યૂ દરમિયાન આલિયાને જ્યારે રણબીર કપૂરને વિશે સવાલ પૂછવામાં આવ્યો કે કામને ધ્યાનમાં રાખતા તેને રણબીરની કઈ વાત સૌથી સારી લાગે છે.
આલિયાએ કહ્યુ કે ''તેની સાથે કામ કરવાનું સારું લાગ્યુ આ બિલ્કુલ એવું જ છે જેવું મેં વિચાર્યુ હતુ. મને હંમેશાથી ખબર હતી કે રણબીર એક સારો એક્ટર તો છે જ સાથે સારો વ્યકિત પણ છે. તેનો મતબલ એવો નથી થતો કે તે કોઈને નીચા બતાવી રહ્યો છે. તે વધારે પ્રોટેક્ટિવ અને સમજનારો વ્યક્તિ છે. અને પછી કેટલીક ખામીઓ તો દરેક વ્યક્તિમાં હોય છે. તે હંમેશાથી આવા જ અંદાજમાં જીવે છે કે બધુ મેનેજ થઈ જાય મેં તેમની પાસેથી ઘણુ શીખ્યું છે.''
આલિયાને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે તમારા બંનેના રિલેશનશીપની અફવા છે. જેના પર હાઈવે એક્ટ્રેસે કહ્યું સચ્ચાઈ મને વધારે પ્રભાવિત કરતી નથી એવી જ રીતે જૂઠથી પણ મને કોઈ ફરક પડતો નથી. કારણ કે તેમાં કોઈ સચ્ચાઈ હોતી નથી. મને તેની કોઈ ચિંતા નથી. લિંકઅપની ખબરના કારણે મારા કોઈની સાથે સંબંધ પર ફરક પડતો નથી. અમને આવી વસ્તુની આદત થઈ ગઈ છે કારણ કે આ અમારી જિંદગીનો હિસ્સો બની ગયો છે. તમારા વિશે ઘણા બધા લોકો આ પ્રકારની વાત કરે છે પરંતુ તેનાથી પ્રભાવિત ન થવું જોઈએ.
આલિયાને જ્યારે લગ્ન બાદ કરિયર વિશે શું વિચારે છે તે સવાલ પૂછતા કહ્યું ''લગ્ન બાદ અનુષ્કા શર્મા અને સોનમ કપૂર આહૂજાને કામ મળી રહ્યું છે અને તે હજુ પણ સ્ટાર છે તો મને નથી લાગતું કે લગ્ન બાદ એક્ટ્રેસના કરિયર પર વધારે ફરક પડે છે.''