બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિકી કૌશલના લગ્ન થયા ત્યારથી હવે દરેક રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રણબીર અને આલિયાના લગ્નનું વેન્યું ફાઇનલ?
ક્યાં લેશે આ રોમેન્ટિક કપલ ફેરા?
ડેસ્ટિનેશન વેડિંગ કેમ રાખ્યું કેન્સલ
છેલ્લા એક વર્ષથી આ કપલના લગ્નના સમાચાર હેડલાઇન્સમાં છે. જો કે હજુ સુધી બંનેએ તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અન્ય કપલની જેમ રણબીર અને આલિયા પણ મુંબઈની બહાર જઈને લગ્ન કરશે. પરંતુ હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન આવતા વર્ષની શરૂઆતમાં થવાના છે. આ કપલ મુંબઈની બહાર નહીં જાય પરંતુ અહીં જ સાત ફેરા લેશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રણબીર અને આલિયાએ પોતાના પરિવારના સભ્યોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડેસ્ટિનેશન વેડિંગ નહીં કરે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઇમાં જ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરશે.
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટના પિતા અને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ જરાય મુસાફરી કરી શકે તેવી સ્થિતિમાં નથી અને ન તો રણબીર કપૂરના કાકા રણધીર કપૂરની હાલત એવી છે. આ જ કારણ છે કે આ કપલે મુંબઈમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને આલિયા મુંબઈના તાજ લેન્ડ એન્ડમાં લગ્ન કરશે. જાણવા મળી રહ્યું છે કે રણબીર કપૂરના નવા ઘરનું નિર્માણ પણ ચાલી રહ્યું છે જેમાં લગ્ન બાદ કપલ રહેશે.