આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના રિલેશનની બી ટાઉનમાં જોરદાર ચર્ચા થઇ રહી છે. જો કે બંને સ્ટાર્સ પોતાના સંબંધને લઇને ખુલીને વાત કરતા નથી. તો હવે તાજા મીડિયા રિપોર્ટ્સ અનુસાર આલિયા અને રણબીરની સગાઇ થઇ ગઇ હોવાની વાત સામે આવી છે. રિપોર્ટ્સનું માનીએ તો સગાઇ બાદ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.
એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સગાઇ પહેલાથી થઇ ગઇ છે. આલિયાને રણબીરે સ્વિટ્ઝરલેન્ડના St Moritz માં ઘૂંટણ પર બેસીને પ્રપોઝ માર્યું હતું. જો કે લગ્નના સંબંધમાં હાલ આલિયા રણબીરે કંઇ નક્કી કર્યું નથી. રિપોર્ટ્સનું માનીએ તો તાજેતરમાં રણબીર કપૂર જે રીતે એક એવોર્ડ ફંક્શનમાં ઘૂંટણોના બળે બેઠો હતો, એ રીતે એને સ્વિટ્ઝરલેન્ડમાં પણ કર્યું હતું.
ત્યારબાદ આલિયા અને રણબીરે સગાઇનું સેલિબ્રેશન કરવા માટે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જો કે આ પહેલો મામલો નથી જ્યારે આલિયા અને રણબીરની લગ્નથી જોડાયેલા કોઇ સમાચાર સામે આવ્યા હોય. આ પહેલા પણ એક રિપોર્ટમાં લખ્યું હતું કે ઋષિ કપૂરના વિદેશથી પરત ફર્યા હાદ કપલના લગ્નની તૈયારીઓ શરૂ થઇ જશે.